આવતીકાલે 1લી મે ગુજરાતનો 61મો સ્થાપના દિવસ છે ત્યારે આ સ્થાપના દિવસ અગાઉ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રજાજોગ સંદેશ આપ્યો હતો. જેમાં તેમણે કોરોનાને હરાવવા માટે સહકાર આપવા અપીલ કરી હતી. અને આ વર્ષે ઘરમાં જ રહીને સૌ ગુજરાતીઓ ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી કરીશું તેમ જણાવ્યું હતું. તો સાથે બે મહત્વની જાહેરાત પણ કરી હતી. તો ગુજરાતના સ્થાપના દિવસને લઇને વિદ્યાર્થીઓ માટે કેટલીક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે. જેની માહિતી આવતીકાલે આપવામાં આવશે.
કોરોના સામે લડવા ગુજરાત સાથ આપેઃ સીએમ રૂપાણી
ગુજરાતનો સ્થાપના દિવસ ઘરે રહીને ઉજવીએઃ સીએમ રૂપાણી
મુખ્યમંત્રીએ 2 મહત્વની જાહેરાત કરી
મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પ્રજાજોગ સંદેશ આપતા કહ્યું કે, 1 મે ગુજરાતનો સ્થાપના દિવસ છે ત્યારે આ ગુજરાત ગૌરવ દિવસને ઘરે રહીને જ ઉજવીએ, દરેક ગુજરાતી સંકલ્પ લે કે તકેદારી અને સાવચેતી રાખીને કોરોનાને હરાવવામાં સાથ આપીશું. હું પણ સંકલ્પ લઉ અને તમે પણ લો કે હું માસ્ક પહેર્યા વિના ઘર બહાર નહીં નિકળીએ.
મુખ્યમંત્રીએ 2 મહત્વની જાહેરાત કરી
રાજ્ય સરકારે એપ્રિલ મહિનામાં ગુજરાતના મધ્યમ વર્ગના પરિવારોને વિના મુલ્યે એપીએલના ગ્રાહકોને રાશન આપ્યું હતું. ત્યારે હવે ફરીવાર મે મહિનામાં પણ મધ્યમ વર્ગના એપીએલ કાર્ડ ધારકોને વિના મૂલ્યે રાશન આપવામાં આવશે. મે મહિનામાં એપીએલ કાર્ડ ધારક 61 લાખ પરિવારોને રાશનનું અનાજ આપવામાં આવશે. 7મી મેથી 12મી મે સુધી અનાજનું વિતરણ કરવામાં આવશે.
બીજી જાહેરાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, મા અમૃતમ અને મા વાત્સ્લયના લાભાર્થીઓ જો કોઈ સારવાર માટે હોસ્પિટલમાં જાય છે તો તેનો કોરોનાનો ટેસ્ટ હોસ્પિટલમાં લેવામાં આવશે અને તેનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.