આજે 26 ફેબ્રુઆરી એટલે આપણાં અમદાવાદનો 612મો બર્થ ડે છે. આ શહેર માટે દરેક ગુજરાતીને વ્હાલ છે, એવામાં આજે અમે તમને અમદાવાદમાં આવેલ બે અનોખા ગાર્ડન વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
પરિમલ ગાર્ડનમાં નવી સુવિધાઓ સાથે કુદરતી ભવ્યતા જોવા મળશે
આ ગાર્ડન 5 સ્ટાર રિસોર્ટને ટક્કર મારે તેવું જોરદાર
અમદાવાદમાં બીજું ગાર્ડન આપએ છે જાપાન જેવી મજા
અમદાવાદ શહેર... અને આ શહેરની સાથો-સાથ તેનો ઈતિહાસ પણ નિરાળો છે. આજે 26 ફેબ્રુઆરી એટલે આપણાં અમદાવાદનો 612મો બર્થ ડે છે. આ શહેર માટે દરેક ગુજરાતીને વ્હાલ છે તો આ શહેર કેટલાય ગુજરાતીઓના સપનાનું શહેર છે. એવામાં આજે અમે તમને અમદાવાદમાં આવેલ બે અનોખા ગાર્ડન વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
ભારતના સૌથી જૂના જાહેર બગીચાઓમાનો એક એટલે કે પરિમલ ગાર્ડનનું વૈજ્ઞાનિક રીતે તેમજ સૌંદર્યલક્ષી દ્રષ્ટી સાથે ટોરેન્ટ ગ્રુપની નોન પ્રોફીટ ઓર્ગેનાઈઝેશન- UNM ફાઉન્ડેશન દ્વારા રીસ્ટોરેશન કરવામાં આવ્યું છે. UNM ફાઉન્ડેશનની ‘પ્રતિતિ’ પહેલની હેઠળ રિસ્ટોર થયેલ આ સુંદરતમ, નયનગમ્ય, લેન્ડસ્કેપ ગાર્ડનમાં અનેક મોર્ડન સુવિધાઓ છે. આ ગાર્ડન પરિમલ સર્કલ પાસે આંબાવાડી અમદાવાદમાં આવેલું છે.
બગીચા માટેનું વર્લ્ડ ક્લાસ ઉદાહરણ
શહેરના દરેક પરિવારે અહીં અવશ્યપણે મુલાકાત લેવા જેવી છે. 1950 ના છેલ્લા થોડા સમયગાળામાં AMCના પ્રથમ મેયર શ્રી ચિનુભાઈ ચીમનલાલે દરખાસ્ત મૂકી કે અમદાવાદમાં વિશિષ્ટતા સાથેના બગીચા-પાર્ક હોવા જોઈએ. તેમના આ વિચારે પરિમલ ગાર્ડનને જન્મ આપ્યો. શહેરના જાણીતા ઉદ્યોગપતિ અને સિટી કાઉન્સીલના સભ્ય શ્રી જયંતિલાલ ભીખાભાઇએ આ વિચારને આગળ વધારતા ટેક્સ્ટટાઈલ મિલ ઓનર્સ સમક્ષ આ પહેલને ફંડ પૂરું પાડવાની દરખાસ્ત મૂકી. તેના નવા અવતારમાં પરિમલ ગાર્ડનની તેની ઇંટોની ચીમનીઓ અને બોગનવિલેઆ આર્બર જેવા છોડ સહિતની આગવી ઓળખને જાળવી રાખીને સંપૂર્ણપણે કાયાપલટ (રીસ્ટોરેશન) કરવામાં આવ્યુ છે.
એકતરફ તમામ 400 વર્ષ જૂના વૃક્ષોનું જેમાં આઈકોનીક વડ પણ શામેલ છે, તેનું જતન કરવામાં આવ્યું છે તો બીજી તરફ વિવિધ 45 પ્રજાતિઓના 600 થી વધુ વૃક્ષોને અને 125 વિવિધતાના 75000 છોડવાઓને ઉમેરવામાં આવ્યા છે. બગીચાની હરિયાળીમાં વધારો કરવા વાંસ અને પાલ્મને પણ રોપવામાં આવ્યા છે.
આ ગાર્ડનની વિશેષતાઓ
-લગભગ 13,000 ચો.ફૂટનો ધ્યાન અને મેડીટેશન એરીયા
-વિવિધ પ્રકારના કમળ અને માછલીઓ સાથેનું કમળ સરોવર
-સરોવરની આસપાસ નિરાંતથી બેસી શકાય તેવી 100 ટેરાઝો બેન્ચ (બાંકડાઓ) કે જેના પર 500 લોકો બેસી શકે છે.
-ઇકો-ફ્રેન્ડલી વોક વે કે જે ચાલવા માટે અનુકૂળ છે તેમજ ઘૂંટણ પર વધારે ભાર ન આવે તે રીતે બનાવાયા છે.
-1450 ચો.ફૂટ ને આવરી લેતો પ્રદર્શન, કે કલાકૃતિઓના સ્ટોરેજ માટે આદર્શ એવો નેચર કોરર (રંગમંચ)
-બે માળનું અદ્યતન ઇક્વિપમેન્ટ સાથેનું પુરુષો અને મહિલાઓની અલગ અલગ વિભાગ ધરાવતું જીમ્નાશિયમ કે જે બાળકો માટે પણ ડેડીકેટેડ જીમ ધરાવે છે જેથી તેમને એક્ટિવ અને ફીટ રહેવા માટે પ્રોત્સાહિત કરી શકાય.
સાથે જ ગાર્ડનને એવી રીતે ડીઝાઈન કરવામાં આવ્યું છે કે, જેથી નાગરિકો તેમના પાળતું શ્વાન કે અન્ય (પેટ) સાથે પણ બગીચામાં હરી ફરી શકે જે તેને ભારતના આવા કેટલાક જાહેર પેટ પાર્ક માનો એક બનાવે છે.
અમદાવાદમાં જ માત્ર રૂ.50માં જાપાન જેવી મજા
શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા અમદાવાદ મેનેજમેન્ટ અસોસિએશનના સંકુલમાં જાપાનીઝ પરંપરા, કલા, સંસ્કૃતિના નજારો જોવા મળે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશ ખાતે જાપાની ઝેન ગાર્ડન અને કૈઝન એકેડેમીનું ડિજિટલ રૂપે ઉદ્ધાટન કર્યું હતું. એમએમએ ખાતે શરૂ થયેલ ઝેન કૈઝાનનો ઉદ્દેશ્ય જાપાની કલા સંસ્કૃતિ પ્રાકૃતિક રંગ અને આર્કિટેક્ચરના વિવિધ તત્વો પ્રદર્શિત કરવાનો છે.
અમદાવાદ મેનેજમેન્ટ અસોસિએશનના સંકુલમાં જાપાની ઝેન ગાર્ડન અને કૈઝન એકેડેમી રેડ બ્રિજ ગુઝેઈ, શોજી ઈન્ટિરીયર, ગ્લોરી ઓફ ટોરી, 3 આર્ટ મ્યુરલ, ફ્યૂઝન ચબુતરો વગેરેમાં જાપાની સંસ્કૃતિનાં દર્શન થાય છે આ સાથે જ તાકી વોટરફોલ, સુકુબેઈ બેઝીન, કિમોનો સ્ક્રોલ પણ જોવાલાયક સ્થળ છે. કાઈઝન હોલમાં બેકલાઈટ નિહોન્ગો ચિત્રો ખૂબ જ કળાત્મક અને આકર્ષક રીતે ડેકોરેટ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં જાપાની ઝેન ગાર્ડન અને કાઇઝેન એકેડમી આવેલી છે. અમદાવાદ પહેલું એવું શહેર છે જ્યાં જાપાની ગાર્ડન ઉભુ કરવામાં આવ્યું છે. મહત્વનું એ છે કે તમે માત્ર 50 રૂપિયામાં આ ગાર્ડનની મજા માણી શકશો.