સર્વે / ભારત- ચીન વિવાદને પહોંચી વળવા કોણ વધારે સક્ષમ, પીએમ મોદી કે રાહુલ ગાંધી? દેશવાસીઓ આપ્યો આ જવાબ

61 of indians do not trust rahul gandhi for the security of the country

રાષ્ટ્રીય સુરક્ષા માટે કોંગ્રેસ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર પર પ્રહાર ચાલુ રાખી શકે છે, પરંતુ 73 ટકા દેશવાસીઓને હજી પણ પીએમ નરેન્દ્ર મોદી પર વધુ વિશ્વાસ છે. સી વોટર દ્વારા હાલમાં થયેલા સર્વે માત્ર 14.4 ટકા લોકોએ રાહુલ ગાંધી પર થોડો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સર્વે અનુસાર 73.6 ટકા ભારતીયોનું માનવું છે કે, માત્ર ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ સરકાર ચીન સાથે ચાલી રહેલા વિવાદનો સમાધાન કરી શકે છે. ત્યારે માત્ર 16.7 ટકા લોકોએ આ વિવાદ અંગે વિપક્ષના વલણને ટેકો આપ્યો હતો. જ્યારે 9.6 ટકા લોકો માને છે કે સરકાર કે વિપક્ષ બંને ચીન સાથે વ્યવહાર કરવામાં સક્ષમ નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ