રાષ્ટ્રીય સુરક્ષા માટે કોંગ્રેસ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર પર પ્રહાર ચાલુ રાખી શકે છે, પરંતુ 73 ટકા દેશવાસીઓને હજી પણ પીએમ નરેન્દ્ર મોદી પર વધુ વિશ્વાસ છે. સી વોટર દ્વારા હાલમાં થયેલા સર્વે માત્ર 14.4 ટકા લોકોએ રાહુલ ગાંધી પર થોડો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સર્વે અનુસાર 73.6 ટકા ભારતીયોનું માનવું છે કે, માત્ર ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ સરકાર ચીન સાથે ચાલી રહેલા વિવાદનો સમાધાન કરી શકે છે. ત્યારે માત્ર 16.7 ટકા લોકોએ આ વિવાદ અંગે વિપક્ષના વલણને ટેકો આપ્યો હતો. જ્યારે 9.6 ટકા લોકો માને છે કે સરકાર કે વિપક્ષ બંને ચીન સાથે વ્યવહાર કરવામાં સક્ષમ નથી.
રાષ્ટ્રીય સુરક્ષાને લઈને થયેલા સર્વેમાં રાહુલ ગાંધી પાછળ
PM મોદી પર વધારે લોકોને છે ભરોસો
રાષ્ટ્રીય સુરક્ષા પર PM મોદી પર 72 ટકાથી વધુ લોકોને છે ભરોસો
દેશના 61 ટકા લોકોને રાહુલ પર સુરક્ષાના મુદ્દે વિશ્વાસ નહીં
લદાખમાં એલએસી નજીક ચીની સૈન્ય સાથેની અથડામણમાં 20 ભારતીય સૈનિકો માર્યા ગયા હતા. જેને પગલે બંને દેશોમાં તણાવની સ્થિતિ છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સતત આ મામલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લેવામાં આવેલા પગલા પર સવાલ ઉઠાવ્યા છે. આઈએએનએસ સીવોટર સ્નેપના તાજેતરના પોલ અનુસાર જ્યારે રાષ્ટ્રીય સુરક્ષાની વાત આવે છે ત્યારે માત્ર 39 ટકા ભારતીયો રાહુલ ગાંધી પર વિશ્વાસ કરે છે. જ્યારે 61 ટકા લોકો તેમના પર વિશ્વાસ નથી કરતા.
માત્ર 14.4 ટકા લોકોએ કહ્યું કે તેઓ રાહુલ ગાંધી પર ઘણા હદ સુધી ભરોસો કરે છે. જ્યારે 24.3 ટકા લોકો તેમના પર અમુક હદ સુધી ભરોસો કરે છે. બીજી તરફ 61.3 ટકા લોકોએ કહ્યું કે તેઓ રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે રાહુલ ગાંધી પર ભરોસો નથી કરતા. ત્યારે 16 ટકા પુરુષો અને 12 ટકા મહિલાઓ રાહુલ ગાંધી પર ખૂબ હદ સુધી ભરોસો કરે છે. જ્યારે આશરે 26 ટકા પુરુષો અને 22.6 ટકા મહિલાઓ અમુક હદ સુધી રાહુલ ગાંધી પર ભરોસો રાખે છે.
રાહુલ ગાંધીને મુસ્લિમ સમુદાયનો સૌથી વધુ વિશ્વાસ મળ્યો છે. આ સમુદાયના 43.9 ટકા લોકો તે સમયે બહું હદ સુધી ભરોસો કરે છે. જ્યારે 39.3 ટકા લોકો તેમના પર અમુક અંશે ભરોસો કરે છે. માત્ર 16 ટકા સમુદાય રાહુલ ગાંધી પર ભરોસો કરતા નથી. સર્વે અનુસાર લગભગ 90 ટકા ખ્રિસ્તીઓ અને 71 ટકા શીખ લોકો રાહુલ ગાંધી પર ભરોસો નથી કરતા. શૈક્ષણિક સ્તરની વાત કરીએ તો 67.2 ટકા ઉચ્ચ શિક્ષિત લોકો રાહુલ ગાંધી પર ભરોસો નથી કરતા. જ્યારે 72 ટકા ઉચ્ચ આવક ધરાવનારા જૂથના લોકોને કોંગ્રેસના નેતા પર ભરોસો નથી. જાતિ વિશે વાત કરીએ તો લગભગ 69 ટકા ઉચ્ચ જાતિના હિન્દુઓ અને 71 ટકા અનુસૂચિત જનજાતિના લોકો કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પર ભરોસો નથી કરતા.