અમદાવાદના ગોતા વિસ્તારમાં તંત્ર દ્વારા જર્જરિત ટાંકીને તોડવામાં આવી છે. બોપલ અને નિકોલ વિસ્તારની ઘટના બાદ VTVએ જર્જરિત ટાંકીઓનું રિયાલિટી ચેકિંગ કર્યું હતું. VTVના અહેવાલ બાદ તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તેને લઈને જર્જરિત ટાંકીને તોડી પાડી પાડવામાં આવી છે.
બોપલ અને નિકોલ વિસ્તારની ઘટના બાદ VTVએ જર્જરિત ટાંકીઓનું રિયાલિટી ચેકિંગ કર્યું હતું. જે દરમિયાન શહેરમાં 10 જેટલી ટાંકીઓ જર્જરિત જોવા મળી હતી. ચાર દિવસ પહેલા VTVએ ગોતા વિસ્તારની ટાંકી મામલે અહેવાલ રજૂ કર્યો હતો. VTVના અહેવાલ બાદ તંત્ર જાગ્યું છે અને હવે તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે.
ગોતા વિસ્તારમાં આવેલી જર્જરિત ટાંકી 60 વર્ષ જૂની હોવાનું સામે આવ્યુ આવ્યું હતું. જ્યારે ટાંકી 60 વર્ષ જૂની હોવા છતા પણ કોઈ પણ સમારકામ કરવામાં આવ્યુ ન હતું. જેને લઈને ટાંકી જર્જરિત થઈ હતી. જ્યારે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તેને લઈને તંત્રએ હવે ટાંકી તોડી પાડી છે.
હજુ ઘણી જગ્યાએ જર્જરીત ટાંકીઓ દૂર નથી કરાઇ
અમદાવાદમાં પાણીની ટાંકી ધરાશાયી થવાની એક બાદ એક બે ઘટના બને છે. ગોતા વિસ્તારની ટાંકી તંત્ર દ્વારા ભલે દુર કરવામાં આવી હોય પણ હજુ એવી કેટલીક જગ્યા છે જ્યાં હજુ સુધી આવી જર્જરીત ટાંકીઓ દૂર નથી કરાઇ. સનાથલ ગામમાં આવેલી પાણીની ટાંકી હજુ પણ જર્જરિત હાલતમાં છે. 9 વખત રજૂઆત છતાં પણ તંત્રના પેટનું પાણી નથી હલતું. 50 હજાર લિટરની ક્ષમતા ધરાવતી પીવાના પાણી ટાંકી જર્જરિત થઇ ગઇ છે. ત્યારે મોટી વાત એ છે કે, પાણીની ટાંકીની બાજુમાં જ શાળા આવેલી છે. આ અંગે સાણંદ મામલતદાર, પ્રાંત અધિકારી, પાણી પુરવઠા પ્રધાન સુધી રજૂઆત કરાઇ છે છતા પણ કોઇ પગલા નથી લેવાયા.