દુર્ઘટના બાદ ગ્રામજનોએ મહામહેનતે આગને કાબુમાં લીધી અને બાદમાં આગમાં ફસાયેલા લોકોને બહાર કાઢીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા
જોધપુરના શેરગઢમાં લગ્ન સમારોહ દરમિયાન મોટી દુર્ઘટના
ગેસ સિલિન્ડર ફાટવાથી 60 લોકો ગંભીર રીતે દાઝ્યા
ઇજાગ્રસ્તોમાં વરરાજાના માતા-પિતા અને બહેનનો પણ સમાવેશ
જોધપુરના શેરગઢમાં લગ્ન સમારોહ દરમિયાન એક મોટી દુર્ઘટના સામે આવી છે. વિગતો મુજબ ગેસ સિલિન્ડર ફાટવાથી 60 લોકો દાઝી ગયા હપવાનું પ્રાથમિક માહિતી સામે આવી છે. જોકે ઘટના બાદ ગ્રામજનોએ મહામહેનતે આગને કાબુમાં લીધી અને બાદમાં આગમાં ફસાયેલા લોકોને બહાર કાઢીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં વરરાજાના માતા-પિતા અને બહેન પણ ફસાઈ ગયા હતા. જેમાંથી બહેનની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. જોકે આ દુર્ઘટનામાં બે વ્યક્તિના મોત થયાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
રાજસ્થાનના જોધપુરના શેરગઢ વિધાનસભા ક્ષેત્રના ભૂંગરા ગામમાં એક લગ્ન સમારોહના આયોજન કરાયું હતું. આ દરમ્યાન મીઠાઈની પાસે ગેસ સિલિન્ડર ફાટતા દર્દનાક ઘટના બની હતી. ગેસ સિલિન્ડર ફાટવાને કારણે ઘરમાં હાજર 60 મહિલાઓ, પુરૂષો અને બાળકો દાઝી ગયા હતા. અચાનક સિલિન્ડર વિસ્ફોટના કારણે લગ્ન પ્રસંગમાં અરાજકતાનો માહોલ સર્જાયો હતો. આ તરફ ગંભીર રીતે દાઝી ગયેલા લોકોએ ચીસો પાડીને પોતાને બચાવવાનો પ્રયાસ શરૂ કર્યો. આ દરમ્યાન કેટલાક ગ્રામજનોએ દરમિયાનગીરી કરીને આગને કાબુમાં લીધી હતી. આગમાં ફસાયેલા લોકોને બહાર કાઢીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
Jodhpur, Rajasthan | Around 60 people injured after a house caught fire during a wedding in Bhungra village
It's a very serious accident. 42 people out of the 60 injured were referred to MGH hospital. Treatment is going on: Himanshu Gupta, District Collector (08.12) pic.twitter.com/9DYKOeHFrE
આ તરફ ઘટનાની માહિતી મળતા જ જિલ્લા કલેક્ટર હિમાંશુ ગુપ્તા અને ગ્રામ્ય એસપી અનિલ કાયલ ઘટનાસ્થળે રવાના થઈ ગયા હતા. આ સાથે જોધપુરની મહાત્મા ગાંધી હોસ્પિટલને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થા દૂર કરવામાં આવી હતી. જેથી એમ્બ્યુલન્સ આવવામાં કોઈ મુશ્કેલી ન પડે.
શું કહ્યું જોધપુર જિલ્લા કલેક્ટરે ?
સમગ્ર મામલે જોધપુર જિલ્લા કલેક્ટર હિમાંશુ ગુપ્તાએ જણાવ્યું હતું કે, શેરગઢના ભૂંગરા ગામમાં તગતસિંહના પુત્રના લગ્નની સરઘસની તૈયારીઓ ચાલી રહી હતી. તે દરમિયાન મીઠાઈની પાસે લગાવેલ ગેસ સિલિન્ડરમાં અચાનક વિસ્ફોટ થતાં 60 મહેમાન મહિલાઓ, પુરૂષો અને બાળકો આગની લપેટમાં આવી ગયા હતા. જેમાં ખરાબ રીતે દાઝી ગયેલી 42 મહિલાઓ, પુરુષો અને બાળકોને જોધપુરની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તૈયાર ઉભી રહેલી મેડિકલ ટીમે તેમની સારવાર શરૂ કરી છે.
આ સાથે જિલ્લા કલેક્ટરે કહ્યું કે, આ ઘટના ખૂબ જ દુઃખદ અને પીડાદાયક છે. 8 થી 10 મહિલાઓ, બાળકો અને પુરૂષો 90 ટકા સુધી દાઝી ગયા છે. આ સાથે 30 મહિલાઓ, પુરૂષો અને બાળકો 50 ટકાથી 70 ટકા સુધી દાઝી ગયા છે. શેરગઢ તહસીલની હોસ્પિટલમાં 18 લોકોને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે.