ડિલિવરી પછી તરત જ નવજાત બાળકના મૃત્યુના કિસ્સામાં કેન્દ્ર સરકારની તમામ મહિલા કર્મચારીઓને 60 દિવસની વિશેષ પ્રસૂતિ રજા આપવામાં આવશે.
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
મહિલા કર્મચારીઓને ડિલીવરીના સમયે આ કિસ્સામાં મળશે રજા
જો મૃત બાળક જન્મે અથવા જન્મ બાદ બાળકનું મોત થાય તો 60 દિવસની રજા મળશે
ડિલિવરી પછી તરત જ નવજાત બાળકના મૃત્યુના કિસ્સામાં કેન્દ્ર સરકારની તમામ મહિલા કર્મચારીઓને 60 દિવસની વિશેષ પ્રસૂતિ રજા આપવામાં આવશે. શુક્રવારે કર્મચારી અને તાલીમ વિભાગ દ્વારા આ સંબંધમાં એક આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. આદેશમાં કહેવાયુ છે કે, મૃત શિશુ જન્મવા અથવા જન્મના તુરંત બાદ નવજાત શિશુના મોતથી માતાને થનારા ભાવનાત્મક ઈજાને ધ્યાનમાં રાખતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. કારણ કે આવી ઘટનાઓમાં માતાના જીવન પર ઘણો ઊંડો પ્રભાવ પડે છે.
મહિલા કર્મચારીઓને મળશે 60 દિવસની રજા
આપને જણાવી દઈએ કે, મૃત શિશુ જન્મવા અથવા જન્મ બાદ તુરંત તેના મોતના કિસ્સામાં રજાના સંબંધમાં સ્પષ્ટીકરણ માગતી કેટલીય અરજીઓ આ વિભાગને મળી હતી. વિભાગે આદેશમાં કહ્યું છે કે, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની સાથે આ મુદ્દા પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો છે. મૃત નવજાત શિશુને જન્મ અથવા પ્રસવના તુરંત બાદ તેના મોતથી થતાં આઘાતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારની મહિલા કર્મચારીઓને આવી સ્થિતિમાં 60 દિવસની વિશેષ પ્રસૂતિ રજા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જો અગાઉથી રજા લીધેલી હશે, તો અન્ય રજામાં મર્જ થશે
DOPTએ પોતાના આદેશમાં કહ્યું કે, જો કેન્દ્ર સરકારની મહિલા કર્મચારી પહેલા જ માતૃત્વ રજા લઈ ચુકી છે, અને મૃત શિશુ જન્મે અથવા શિશુનું મોત થવા પર તેની રજાઓ ચાલુ રહેશે. આવું થવાની તારીખ સુધી કર્મચારી દ્વારા લેવામાં આવેલી રજાને તેમની પાસે અન્ય કોઈ રજામાં મર્જ કરી શકાય છે. જેમાં કોઈ પ્રકારની મેડિકલ સર્ટિફિકેટની જરૂરિયાત હોતી નથી. આદેશ અનુસાર કર્મચારીને મૃત બાળક જન્મે અથવા જન્મ બાદ મૃત્યુ થવા પર તે દિવસથી જ 60 દિવસનું વિશેષ પ્રસૂતિ રજા આપવામાં આવશે.
જન્મના 28 દિવસની અંદર મોત થાય તો, પણ આ રજા મળી શકશે
આદેશ અનુસાર, જો કેન્દ્ર સરકારની મહિલા કર્મચારીઓને માતૃત્વ અવકાશ નથી લીધો તો, મૃત શિશુના જન્મ અથવા શિશુના મૃત્યુ થવાની તારીખથી 60 દિવસની સ્પેશિયલ મેટરનિટિ લિવ આપવામાં આવશે. કેન્દ્ર સરકારે તમામ મંત્રાલયો/ વિભાગોને જાહેર કરવામા આવેલા આદેશ અનુસાર, પ્રસવના 28 દિવસની અંદર શિશુના મૃત્યુ થવા પર આ જોગવાઈ પ્રભાવી માનવામાં આવશે.