અષાઢી અમાસે એટલે કે 21 જૂને સૂર્યગ્રહણ યોજાવવાનું છે. આ દિવસે એકસાથે 6 ગ્રહો ગુરુ, શનિ, શુક્ર, બુધ, રાહુ અને કેતૂ ઉલટી ચાલ ચાલશે. આકાશમાં ધોળે દિવસે તારા દેખાશે. લગભગ 30 સેકંડ માટે દિવસે રાતનો માહોલ સર્જાશે. આ સાથે જ મહામારી પર પણ મોટી અસર કરશે અને તેના પ્રભાવને ઓછો કરવાનું કામ કરશે.
21 જૂને યોજાશે સૂર્યગ્રહણ
એકસાથે 6 ગ્રહો ચાલશે વક્રી ચાલ
મહામારી ઓછી થવાની સાથે દિવસે રાતનો માહોલ સર્જાશે
મળતી માહિતી અનુસાર 21 જૂને શુક્ર ગ્રહ સૂર્યથી લગભગ 25 અંશ પશ્ચિમની તરફ તથા બુધ ગ્રહ સૂર્યથી લગભગ 14 અંશ પૂર્વની તરફ દેખાશે. તારામંડળમાં મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા રાશિના ગ્રહ નક્ષત્ર પશ્ચિમથી પૂર્વમાં 30 સેકંડ સુધી ઝબુકતા દેખાશે. સૂર્યગ્રહણ કંકણાકૃતિ હોવાના કારણે તેનો પડછાયો વાવાઝોડાની જેમ ભાગતો દેખાશે. સાથે જ દિવસે અંધારું છવાશે.
આ છે સૂર્યગ્રહણનો સમય
સૂર્યગ્રહણનો સ્પર્શ સવારે 9.16 મિનિટે થશે. સવારે 10.19 મિનિટે કંકણાકૃતિ ગ્રહણ શરૂ થશે અને 2.02 મિનિટે પૂરું થશે. બપોરે 3.04 મિનિટ સુધી ગ્રહણ રહેશે. આ 5 કલાક 48 મિનિટનું ગ્રહણ યોજાશે. જેમાં કંકણાકૃતિ ગ્રહણ 1 કલાક 17 મિનિટનું રહેશે.
કોરોના મહામારીની અસર ઘટશે
ભારતમાં દેખાનારા સૂર્યગ્રહણનો મોટો પ્રભાવ જોવા મળશે. 18 જૂનથી 25 જૂન સુધીના 7 દિવસ માટે 6 ગ્રહ વક્રી રહેશે. ગુરુ અને શનિનો એકસાથે મકર રાશિમાં દુર્લભ યોગ છે. આ પહેલાં આ યોગ વર્શ 1961માં જોવા મળ્યો હતો. ગુરુ નીચ રાશિ મકર અને શનિ સ્વયંની રાશિ મકરમાં એકસાથે યુતિ બનાવીને વક્રી બન્યા હતા. આ ગ્રહોના વક્રી થવાથી દુનિયામાં મહામારીની અસર ઓછી થવાની આશા છે. અર્થવ્યવસ્થામાં પણ સુધારો આવી શકે છે.
ગ્રહણ સમયે શું કરવું
કંકણ સૂર્યગ્રહણ રવિવારે યોજાઈ રહ્યું છે. તેને ચૂડામણિ ગ્રહણ પણ કહેવામાં આવે છે. આ સમયે દાન, જપ, પૂજા પાઠનું માહાત્મ્ય વધારે રહે છે. આ દિવસે પવિત્ર તળાવ, અને હરિદ્વાર, પ્રયાગરાજમાં સ્નાન આદિનું પુણ્ય મળે છે.
ગ્રહણનું સૂતક
સૂર્યગ્રહણનું સૂતક 20 જૂનની રાતે લગભગ 9.16 મિનિટથી શરૂ થશે. સૂર્યગ્રહણ કાળમાં ભગવાન સૂર્ય ઉપાસના, આદિત્ય હ્રદય સ્ત્રોત, સૂર્યાષ્ટક સ્ત્રોતનો પાઠ કરવો. ચઢવેલું અનાજ, કાપેલા શાક, આ સમયે ખરાબ થાય છે તેને ખાવાનું ટાળવું. આ સિવાય તેલ, ઘી, દૂધ, લસ્સા, માખણ, પનીર, અથાણું, ચટણી, મુરબ્બો વગેરેને ઉપયોગમાં લઈ શકાય છે.