હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારો માટે આગાહી છે, વેસ્ટર્ન ડિસ્ટર્બનથી દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવનનું એલર્ટ છે.
પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વર્ષ-2003થી ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે શાળા પ્રવેશપાત્ર બાળકોનું નામાંકન વધારવા શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવની 18મી શૃંખલા આગામી તા.12 થી 14 જૂન-2023 દરમ્યાન યોજાશે. રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો, સાંસદઓ, ધારાસભ્યો, પદાધિકારીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં થશે.પ્રવકતા મંત્રીએ ઉમેર્યું હતું કે, ચાલુ વર્ષે યોજાનાર શાળા પ્રવોશોત્સવ કાર્યક્રમ અંગે આજે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરીને આખરી ઓપ અપાયો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષે રાજ્યભરના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં શાળા પ્રવેશોત્સવ-2023નો કાર્યક્રમ તા.12-13-14, જૂન-2023ના રોજ યોજવામાં આવશે. રાજય કક્ષાએથી મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના તમામ મંત્રીઓ, IAS, IPS, IFS કક્ષાના અધિકારીશ્રીઓ, સચિવાલયના અધિકારીઓ આ પ્રવેશોત્સવ કાર્યક્ર્મમાં શાળાએ-શાળાએ જઇ બાળકોને પ્રવેશ અપાવશે.
ધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં કેટલાક નિર્ણયો લેવાયા છે તેમજ મહત્વની ચર્ચાઓ કરાઈ છે જેને લઈ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, કેબિનેટ બેઠકમાં ચિંતન શિબિરમાં થયેલ પ્રશ્નો અંગે ચર્ચા કરાઇ છે તેમજ શહેરી વિકાસ અને સરકારી કર્મચારીઓની તાલીમ પર ચર્ચા કરાઇ છે.મુખ્યંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોની ભરતી પ્રક્રિયા માટેના ભરતી કેલેન્ડર સંદર્ભના નિર્ણયમાં પ્રવક્તા મંત્રીએ જણાવ્યું કે, નવું 10 વર્ષીય ભરતી કેલેન્ડર તૈયાર કરવા માટે સૈદ્ધાતિંક મંજૂરી આપવામાં આવી છે. અગાઉ વર્ષ 2014માં પ્રસિધ્ધ થયેલ ભરતી કેલેન્ડર ડિસેમ્બર-2023મા પૂર્ણ થતું હોવાથી આગામી વર્ષ 2024થી 2033 માટે વહીવટી વિભાગોમાં જગ્યાઓ ભરવા માટેના ભરતી કેલેન્ડર તૈયાર કરવાની સૈદ્ધાતિંક મંજૂરી અપાઇ છે.
ગુજરાત કેબિનેટ બેઠક | મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું વર્ષ 2014 થી 2023માં 1.67 લાખ ભરતી કરવામા આવી, હવે આગામી 10 વર્ષનું ભરતી કેલેંડર બહાર પાડશે, સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી#GujaratCabinet#VTVGujaratipic.twitter.com/HGP6mEkrC9
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 24, 2023
રાજ્યમાં અત્યાર 42થી 43 ડિગ્રી જેટલું ઊંચું તાપમાન નોંધાઈ રહ્યું છે. ઉનાળાની ગરમી લોકોને દઝાડી રહી છે. લોકો પણ ગરમીને ધ્યાનમાં રાખીને અવરજવર કરી રહ્યા છે. જોકે, ગરમીના ભારે પ્રકોપથી લૂ લાગવાના કિસ્સામાં પણ ખાસ્સો એવો વધારો થયો છે. આ દરમિયાન સ્થાનિક હવામાન વિભાગની આગાહી જણાવે છે કે રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકોને શનિવારથી થોડી ઘણી રાહત મળશે. હવામાન વિભાગે શુક્રવારે ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરી છે. ગુજરાતમાં ભારે પવન ફૂંકાવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારો માટે આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બનથી દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવનનું એલર્ટ છે. દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. 26 મેના રોજ ગુજરાતમાં 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. તો દરિયાકાંઠા વિસ્તારમાં 65 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે.સ્થાનિક હવામાન વિભાગની આગાહી જણાવે છે કે રાજ્યમાં હજુ બે દિવસ ગરમીની સ્થિતિ જળવાઈ રહેશે, જોકે, શનિવારથી ગરમીની તીવ્રતામાં બેથી ત્રણણ ડિગ્રી જેટલો ઘટાડો થશે એટલે લોકોને ભારે ગરમી સામે થોડી રાહત મળશે. અમદાવાદની વાત કરીએ તો શહેરમાં ગરમીએ માઝા મૂકી છે. અનેકવાર અમદાવાદ રાજ્યનું હોટેસ્ટ સિટી બન્યું છે. અમદાવાદીઓ પણ ગરમીથી તોબા પોકારી રહ્યા હોય પ્રી-મોન્સૂન એક્ટિવિટીની રાહ જોઈ રહ્યા છે. જોકે, હાલ તુરંત આવી કોઈ એક્ટિવિટી શરૂ થાય તેવી કોઈ શક્યતા નથી.
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં રિવર રાફટિંગ દરમિયાન ડૂબી જવાથી અમદાવાદના દંપતીનું મૃત્યુ નીપજ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. આ દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા બાદ ગાંધીનગરના મોતીપુરા ગામમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો છે. પતિ-પત્નીના મૃતદેહોને હવાઈ માર્ગે ગુજરાત લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, મૂૂળ ગાંધીનગરના મોતીપુરા ગામના વતની અને હાલ અમદાવાદ ખાતે રહેતા ભીખાભાઈ પટેલ અને તેમના પત્ની સુમિત્રાબેન વેવાઇ સાથે જમ્મુ-કાશ્મીર ફરવા માટે ગયા હતા. જમ્મુ-કાશ્મીરમાં વિવિધ સ્થળોએ ફર્યા બાદ આ તમામ પહેલગામ ખાતે પહોંચ્યા હતા. જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ભીખાભાઈ પટેલ, તેમના પત્ની સુમિત્રાબેન અન્ય સહેલાણી સાથે રિવર રાફટિંગ કરવા માટે બોટમાં બેસ્યા હતા. આ દરમિયાન પાણીના ધસમસતા પ્રવાહમાં બોટ હિલોળે ચડવા માંડી હતી. જે બાદ બોટ અચાનક પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે.
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની ગુજરાત મુલાકાત પહેલા રાજકારણ ગરમાયું છે. બાબાની ગુજરાત મુલાકાત પહેલા રાજકીય પક્ષોમાં ફાંટા પડ્યા છે. કોઈ સમર્થનમાં તો કોઈ બાબાના વિરોધમાં છે. ગુજરાતના ચાર મહત્વના શહેરોમાં બાબાના દિવ્ય દરબાર યોજાવાના છે. એક બાજુ ધીરેન્દ્ર શાસ્ત્રીનું સમર્થન કરવામાં આવી રહ્યું છે, તો બીજી બાજુ ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. આ વચ્ચે બોટાદના સાળંગપુર ધામના કોઠારી સ્વામી વિવેક સાગર સ્વામીએ ધીરેન્દ્ર શાસ્ત્રીને સમર્થન આપ્યું છે. બાગેશ્વર ધામ સરકારના નામથી પ્રખ્યાત થયેલા ધીરેન્દ્ર શાસ્ત્રીને લઈને વિવેક સાગર સ્વામીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, હું પણ હનુમાન ભક્ત છું અને ધીરેન્દ્ર શાસ્ત્રી પણ હનુમાન ભક્ત છે. અમે કષ્ટભંજનદેવને પ્રાર્થના કરીએ કે બાગેશ્વર ધામ સરકારના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના આ કાર્યક્રમો સફળ થાય.
ગાંધીનગરનાં મુલાસણાની પાંજરાપોળની જમીન ભ્રષ્ટ્રાચાર મુદ્દે પૂર્વ CM રૂપાણીએ ખુલાસો કર્યો છે. પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીનો મુદ્દે ખુલાસો કર્યો છે. એસ.કે. લાંગા દ્વારા નનામા પત્રમાં જમીન કૌભાંડ મુદ્દે રૂપાણી પર આરોપો લાગ્યા છે. ત્યારે આ બાબતે ખુલાસો કરતા પૂર્વ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે એસ.કે.લાંગા મને ખોટી રીતે બદનામ કરી રહ્યા છે. મારા સમયમાં એસ.કે.લાંગા સામે ગેરરીતિની તપાસ કરવામાં આવી હતી. લાંગા હાઈ પાવર કમિટીની વાત કરીને ગેરમાર્ગે દોરે છે. હાઈ પાવર કમિટીમાં પાંજરાપોળની કથિત જમીન બાબતે ક્યારેય ચર્ચા થઈ નથી. લાંગા કથિત પત્રને બદલે પોતાના નામે પત્ર લખીને સત્ય ઉજાગર કરે. મારા કાર્યકાળ દરમ્યાન લાંગા સામે ભ્રષ્ટ્રાચાર કર્યાનાં આરોપ લાગ્યા હતા. પંચમહાલમાં ભ્રષ્ટ્રાચાર બાબતે મેં જ લાંગા વિરૂદ્ધ તપાસ કરાવી હતી. અમદાવાદ નજીક આવેલા મુલાસણમાં પાંજરાપોળની જમીનમાં ભ્રષ્ટ્રાચારનો આરોપ લાગ્યો છે. મુલાસણાની પાંજરાપોળની જમીન બિલ્ડર અને મળતિયાને પધરાવવાનો આરોપ હતો. ત્યારે એસ.કે.લાંગા ગાંધીનગર કલેક્ટર હતા તે સમયે કૌભાંડ થયું હતું. એસ.કે.લાંગની સામે ગાળિયો કસાતા એક નનામો પત્ર વાયરલ કરાયો હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે નનામા પત્રમાં રૂપાણીએ જમીનને લઈને અનેક આદેશ આપ્યા હોલાનો ઉલ્લેખ છે. તેમજ પત્ર સામે આવ્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીએ જવાબ આપ્યો છે.
જાણીતા કથાકાર બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. તેમને વાય કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. તેમની વાય કેટેગરીની સુરક્ષાને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. વાય સિક્યુરિટીમાં એક કે બે કમાન્ડો હોય છે. આ સુરક્ષા વર્તુળમાં પોલીસકર્મીઓ સહિત 8 સૈનિકો સામેલ છે.થોડા મહિના પહેલા પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને તેમના પરિવાર સાથે જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. અમરસિંહ નામના શખ્સે ધીરેન્દ્ર શાસ્ત્રીના કાકાના પુત્રને ધમકીભર્યો ફોન કર્યો હતો. ફોન કરનારે કહ્યું હતું કે, "ધીરેન્દ્ર શાસ્ત્રીના પરિવારે હવે 13માની તૈયારી કરવી રાખવી જોઈએ. સમાજવાદી પાર્ટીના મહાસચિવ સ્વામી પ્રસાદ મૌર્યએ બાગેશ્વર બાબાને આતંકી ગણાવ્યા હતા. સપા નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું, "માખી, મચ્છરોની હિલચાલથી વાદળોનો અવાજ સાંભળી શકાતો નથી. બાબા જેવા એક નહીં પણ હજારો લોકો આવું બોલે છે તો દેશની જનતા તેનું સંજ્ઞાન લેશે નહીં. દેશ કોઈ બાબાના નિવેદનથી નહીં, પરંતુ બંધારણ પ્રમાણે ચાલશે. આ સાથે જ સપા નેતાએ કહ્યું કે, જે લોકો સાધુ-સંતોના વેશમાં છે તે તમામ આતંકી છે.
આવકવેરા વિભાગે કરદાતાઓની સુવિધા માટે ITR 1 અને ITR 4 ફોર્મ ઓનલાઈન જારી કર્યા છે. અગાઉ આવકવેરા વિભાગે 25 એપ્રિલથી આ બંને ફોર્મ ઓફલાઇન જારી કર્યા હતા. આવકવેરા વિભાગની સૂચના અનુસાર ITR-1 અને ITR-4 એટલે કે બંને ફોર્મ મૂલ્યાંકન વર્ષ 2023-24 માટે ઑફલાઇન પણ ઉપલબ્ધ છે. અગાઉથી ભરેલા ડેટા સાથેના આ બંને ફોર્મ આવકવેરા વિભાગની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાય છે. આવક (ફોર્મ-16), બચત ખાતામાંથી વ્યાજ, ફિક્સ ડિપોઝીટ વગેરે ઓનલાઈન ફોર્મમાં અગાઉથી ભરવામાં આવશે. તેથી જ એ જાણવું જરૂરી છે કે કોણે કયું ફોર્મ ભરવાનું છે.
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની હારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા પર કોઈ અસર પડે તેમ લાગતું નથી. તાજેતરના સર્વેના આંકડા તેની સાબિતી આપી રહ્યા છે. સર્વે અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના સૌથી લોકપ્રિય નેતા બની ગયા છે. સર્વેના આંકડા દર્શાવે છે કે 43 ટકા જનતા પીએમ મોદીને વડાપ્રધાન પદ માટે પ્રથમ પસંદગી ગણાવી રહી છે.મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવા પર NDTV અને લોકનીતિ-સેન્ટર ફોર ધ સ્ટડી ઑફ ડેવલપિંગ સોસાયટીઝ (CSDS) એ ભારતના 19 રાજ્યોમાં 71 લોકસભા મતવિસ્તારોમાં એક સર્વે હાથ ધર્યો હતો. સર્વે હેઠળ, કુલ 7,000 થી વધુ લોકો પાસેથી વિવિધ મુદ્દાઓ પર તેમના અભિપ્રાય પૂછવામાં આવ્યા હતા, જેમાં સમાજના તમામ વર્ગના લોકો સામેલ હતા. 10 થી 19 મે 2023 વચ્ચે કરવામાં આવેલા સર્વેમાં સ્પષ્ટ થયું હતું કે આજે પણ 43 ટકા લોકો નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે જોવા માંગે છે, જ્યારે 27 ટકા લોકો રાહુલ ગાંધીને પીએમ તરીકે જોવા માંગે છે.
પંજાબના અમૃતસરમાં ગેંગસ્ટર જરનૈલ સિંહની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. વાત જાણે એમ છે કે, અમૃતસરના સથિયાલા ગામમાં ગોપી ઘનશામ પુરિયા જૂથ સાથે જોડાયેલા ગેંગના સભ્યોએ જરનૈલ સિંહ પર ગોળીબાર કર્યો જેમાં તેનું મોત નીપજ્યું છે. વિગતો મુજબ બદમાશો સ્વિફ્ટ કારમાં આવ્યા હતા. જરનૈલ સિંહની હત્યા કરીને ચારેય બદમાશો ત્યાંથી ફરાર થઈ ગયા. હતા. અમૃતસરમાં ગેંગસ્ટર જરનૈલ સિંહની ગોળી મારીને હત્યાના સમાચાર સામે આવ્યા છે. માહિતી મુજબ ઘટના સમયે જરનૈલ સિંહ પોતાના ગામમાં પોતાના ઘરે હતો. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ હુમલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ તરફ હવે હત્યાની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જે વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, 4 માસ્ક પહેરેલા હુમલાખોરો આવે છે અને જરનૈલ સિંહ પર અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરે છે. હુમલાખોરોથી બચવા માટે જરનૈલ સિંહ એક દુકાનમાં પ્રવેશ કરે છે. હુમલાખોરો તેની પાછળની દુકાનમાં પણ ઘૂસી જાય છે અને જ્યાં સુધી તે મરી જાય ત્યાં સુધી ફાયરિંગ કરતા રહે છે. ફાયરિંગ કરતાં હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
દેશના નવા સંસદ ભવનનું આગામી 28 મેના રોજ પ્રધાનમંત્રી મોદી ઉદ્ઘાટન કરશે. આ તરફ હવે આજે ગૃહમંત્રી અમિત શાહે પત્રકાર પરિષદ કરી તે અંગે વાતચીત કરી હતી. આ સાથે કહ્યું કે, આ અવસર પર PM મોદી સંસદભવનના નિર્માણમાં યોગદાન આપનારા 60 હજાર શ્રમ યોગીઓને પણ સન્માનિત કરશે. અમિત શાહે કહ્યું કે, નવી સંસદના ઉદ્ઘાટન પ્રસંગે ઐતિહાસિક પરંપરાને પુનર્જીવિત કરવામાં આવશે. નવી સંસદમાં સેંગોલ (રાજદંડ) સ્થાપિત કરવામાં આવશે. તેનો અર્થ છે સંપત્તિથી સંપન્ન. જે દિવસે તે રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે તે જ દિવસે તમિલનાડુના વિદ્વાનો દ્વારા પીએમને સેંગોલ આપવામાં આવશે. ત્યારબાદ સંસદમાં આ કાયમી સ્થાપિત થશે. તેને નવી સંસદમાં સ્પીકરની ખુરશી પાસે રાખવામાં આવશે. શાહે કહ્યું કે, સેંગોલને અગાઉ અલ્હાબાદ મ્યુઝિયમમાં રાખવામાં આવ્યું હતું.અમિત શાહે કહ્યું કે, આઝાદીના સમયે જ્યારે પંડિત નેહરુને પૂછવામાં આવ્યું હતું કે, સત્તાના હસ્તાંતરણ વખતે શું આયોજન કરવું જોઈએ? નેહરુજીએ તેમના સાથીદારો સાથે ચર્ચા કરી. સી ગોપાલાચારીને પૂછવામાં આવ્યું હતું. સેંગોલની પ્રક્રિયાને ચિહ્નિત કરવામાં આવી હતી. પંડિત નેહરુએ તમિલનાડુ પાસેથી પવિત્ર સેંગોલ મેળવ્યું અને અંગ્રેજો પાસેથી સેંગોલ સ્વીકાર્યું. તેનો અર્થ એ થયો કે, આ શક્તિ પરંપરાગત રીતે આપણી પાસે આવી છે.
#WATCH | We should not politicize this (inauguration of the new Parliament building) issue, let people think and react however they want to: Union Home Minister Amit Shah pic.twitter.com/QX2xuQ2U7Y
IPL 2023માં લખનૌ સુપર જાયન્ટ્સ ટાઈટલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. 24 મે (બુધવાર)ના રોજ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં આયોજિત એલિમિનેટર મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા લખનૌને 81 રનથી હરાવ્યું હતું. મેચમાં લખનૌને જીતવા માટે 183 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેનો પીછો કરતા સમગ્ર ટીમ 16.1 ઓવરમાં 101 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. મુંબઈની જીતનો હીરો આકાશ મધવાલ હતો જેણે પાંચ રનમાં પાંચ વિકેટ ઝડપી હતી.આ જીત સાથે રોહિત બ્રિગેડે ક્વોલિફાયર-2 મેચમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. 26 મેના રોજ અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાશે. તે મેચની વિજેતા ટીમ અંતિમ મેચમાં એમએસ ધોનીના સુકાની ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટકરાશે.
Look who's off to 📍Ahmedabad to meet the Gujarat Titans 😉