તુર્કી ભૂકંપમાં કાટમાળમાં દટાયેલા લોકોને બહાર કાઢવાના કામમાં લાગેલી ભારતીય બચાવ ટુકડીને એક મોટી સફળતા હાથ લાગી છે.
તુર્કીમાં ભૂકંપથી અત્યાર સુધી 19000થી વધુના મોત
ભારતીય ટીમ બચાવ અભિયાનમાં લાગી
NDRF ટીમે કાટમાળમાંથી જીવતી કાઢી 6 વર્ષની બાળકીને
અમિત શાહે વીડિયો શેર કરીને કહ્યું- ગર્વ છે આપણી ટીમ પર
19000થી વધુ લોકોનો ભોગ લેનાર વિનાશકારી ભૂકંપ બાદ તુર્કીમાં રાહત-બચાવ મિશન પૂરજોરમાં ચાલી રહ્યું છે. કાટમાળ નીચે ફસાયેલા લોકોને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભારતે પણ રાહત બચાવ માટે તુર્કીમાં NDRF ટીમ મોકલી છે અને ટીમે ત્યાં જઈને તેનું કામ શરુ કરી દીધું છે અને તેને પહેલી મોટી સફળતા હાંસલ થઈ છે.
Standing with Türkiye in this natural calamity. India’s @NDRFHQ is carrying out rescue and relief operations at ground zero.
— Spokesperson, Ministry of Home Affairs (@PIBHomeAffairs) February 9, 2023
કાટમાળમાંથી જીવતી કાઢી 6 વર્ષની બાળકીને
ટીમ IND-11 એગાઝિયાન્ટેપ શહેરના બેરેનમાં કાટમાળમાં લોકોને શોધી રહી હતી. આ દરમિયાન તેમને કાટમાળના ઢગલામાં એક બાળકીના રડવાનો અવાજ આવ્યો હતો. સાંભળીને તાબડતોબ ટીમના સભ્યોએ ત્યાંથી કાટમાળ હટાવવાનો શરુ કર્યું હતું તેમની નવાઈ વચ્ચે એક બાળકી જીવતી મળી આવી હતી. ટીમના સભ્યોએ તેને ચાદરમાં લપેટીને બહાર કાઢી હતી અને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાવી હતી, આ રીતે તેનો જીવ બચી ગયો હતો.
Proud of our NDRF.
In the rescue operations in Türkiye, Team IND-11 saved the life of a six-year-old girl, Beren, in Gaziantep city.
ગર્વ છે, અમિત શાહે વીડિયો શેર કરતાં વધાવી એનડીઆરએફ ટીમને
ગૃહમંત્રી અમિત શાહે પણ આ અંગે ટ્વિટ કરીને બચાવનો વીડિયો શેર કર્યો છે. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું, 'અમારા એનડીઆરએફ પર ગર્વ છે.
તુર્કીની મહિલાએ ભારતીય મહિલા આર્મી ઓફિસરને કરી કીસ
તુર્કીમાંથી બીજી પણ એક સુંદર તસવીર સામે આવી છે જેમાં પોતાની બચાવનાર ભારતીય મહિલા આર્મી ઓફિસરને તુર્કીની એક મહિલા કીસ કરી રહેલી દેખાય છે. આ તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.
19 હજારથી વધુ લોકોના મોત
તુર્કી અને સીરિયામાં આવેલા ભીષણ ભૂકંપના કારણે 19 હજારથી વધુ લોકોના મોત થયા છે. હજુ પણ ઘણા લોકો કાટમાળ નીચે દબાયેલા છે. સંકટની આ ઘડીમાં ભારત સરકારે તુર્કીને મદદનો હાથ લંબાવ્યો છે. ઓપરેશન દોસ્ત હેઠળ ભારતમાંથી રેસ્ક્યૂ ટીમ મોકલવામાં આવી છે. ભારતમાંથી તુર્કોને તબીબી સહાય પણ પૂરી પાડવામાં આવી રહી છે.
ભારતીય સેનાએ હોસ્પિટલ બનાવી
ભારતીય સેનાએ તુર્કીના હેતે શહેરમાં આર્મી ફિલ્ડ હોસ્પિટલ પણ ઉભી કરી છે, જેથી ભૂકંપના મૃતકોની મદદ કરી શકાય. અહીં ભૂકંપમાં ઘાયલ થયેલા લોકોની સારવાર કરવામાં આવી રહી છે. સાથે જ વિદેશ રાજ્યમંત્રીએ પણ કહ્યું કે, ભારત તુર્કીના લોકોની દરેક સંભવ મદદ કરવા માટે તૈયાર છે.