સુરક્ષા દળોએ માહિતી આપી હતી કે માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી એક એમ-4 અને બે એકે-47 રાઈફલ પણ મળી આવી છે. તમામ આતંકીઓ જૈશ-એ-મોહમ્મદના સભ્યો હોવાનું કહેવાય છે.
જમ્મુ-કાશ્મીરના પોલીસે 6 આતંકવાદીઓને ઠાર કર્યા
આ એન્કાઉન્ટરમાં એક પોલીસકર્મી પણ ઘાયલ થયો છે
આતંકીઓ પાસેથી મોટી સંખ્યામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો
6 #terrorists of proscribed #terror outfit JeM killed in two separate #encounters. 4 among the killed terrorists have been identified so far as (2) #Pakistani & (2) local terrorists. Identification of other 02 terrorists is being ascertained. A big #success for us: IGP Kashmir
જમ્મુ-કાશ્મીરના બે જિલ્લામાં અલગ-અલગ એન્કાઉન્ટર દરમિયાન પોલીસે 6 આતંકવાદીઓને ઠાર કર્યા છે. કાશ્મીર ઝોન પોલીસે આ જાણકારી આપી છે. આતંકવાદીઓ સામેની આ કાર્યવાહીમાં એક પોલીસકર્મી પણ ઘાયલ થયો છે. હાલ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, શનિવારે પણ સુરક્ષા દળોએ શોપિયાં જિલ્લામાં લશ્કર-એ-તૈયબા (LeT)ના બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. એક મીડિયા રિપોર્ટ અનુસાર કાશ્મીર પોલીસના આઈજીએ કહ્યું કે અનંતનાગ અને કુલગામમાં અલગ-અલગ એન્કાઉન્ટરમાં 6 આતંકવાદીઓ માર્યા ગયા છે. આ આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા હોવાના અહેવાલ છે. માર્યા ગયેલા આતંકવાદીઓમાંથી 4ની ઓળખ થઈ ગઈ છે. જેમાંથી બે પાકિસ્તાની નાગરિકો હતા. જ્યારે બે સ્થાનિક આતંકવાદીઓ હતા.
Three JeM terrorists have been killed in Kulgam, 1 was a Pakistani militant & 2 were local terrorists; no collateral damage reported. Another terrorist was killed in the initial firing at night & 2 in the early morning, at the Anantnag encounter: IGP Kashmir, Vijay Kumar pic.twitter.com/pu7xbP8HWC
અધિકારીઓએ જણાવ્યું હતું કે દક્ષિણ કાશ્મીરના જિલ્લાઓમાં બે અલગ-અલગ આતંકવાદ વિરોધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે અનંતનાગના નૌગામ વિસ્તારમાં એક પોલીસકર્મી ઘાયલ થયો છે. ઘાયલોને સલામતી સાથે બહાર કાઢવામાં આવ્યા અને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. અધિકારીઓએ જણાવ્યું કે નક્કર માહિતી મળ્યા બાદ પોલીસે કુલગામ જિલ્લાના મિરહામામાં એન્કાઉન્ટર કર્યું હતું. અહીં સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. શરૂઆતમાં, કાશ્મીર ઝોન પોલીસે ટ્વીટ દ્વારા માહિતી આપી હતી કે એક આતંકવાદી માર્યો ગયો છે. બાદમાં વધુ બે આતંકવાદીઓ માર્યા ગયા હોવાની પુષ્ટિ થઈ હતી. કાશ્મીરના આઈજી વિજય કુમારે કહ્યું કે આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા છે
આતંકીઓ પાસેથી મોટી સંખ્યામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો
તેમણે કહ્યું કે આતંકવાદીઓ પાસેથી બે એકે રાઈફલ, ચાર એકે મેગેઝીન અને 32 ગોળીઓ અને હથિયારો અને દારૂગોળો સહિત અન્ય સામગ્રી મળી આવી છે. અધિકારીએ જણાવ્યું કે, પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં હરદુમીર ખાતે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે વધુ એક અથડામણ થઈ. અધિકારીએ જણાવ્યું કે આ અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા, જેમની ઓળખ હજુ સુધી જાણી શકાઈ નથી.