અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા 6 પોલીસ ઇન્સ્પેક્ટર(PI)ની બદલી કરવામાં આવી છે. જેમાં જે.વી રાણા, જે.એમ. સોલંકી, એ.જે. પાંડવ, એ.પી. ગઢવી, એન.કે વ્યાસ અને એ.એન. તાવીયાડની બદલી કરવામાં આવી છે.
અમદાવાદના 6 પોલીસ ઈન્સપેક્ટરની બદલીનો નિર્ણય
જે.વી રાણાને ઈસનપુર પોલીસ સ્ટેશનનો કાર્યભાર અપાયો
PIની બદલીના દોરથી પોલીસબેડામાં ચર્ચાનો માહોલ
અમદાવાદમાં PIની બદલીઓનો દોર યથાવત્ છે. આજે શહેરના કુલ 6 PIની બદલીના ઓર્ડર આપવામાં આવ્યા છે. અમદાવાદ શહેર સંજય શ્રીવાસ્તવે બદલીના આદેશ આપ્યા છે. શહેરમાં PIની બદલીના દોરથી પોલીસબેડામાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. આ 6 PIની બદલી કરવામાં આવી છે જેમાં બાપુનગરના PI એન. કે. વ્યાસની કંટ્રોલરૂમમાં બદલી કરાઇ છે.