જામનગર નજીકના રિલાયન્સ મોલ સાથે છ શખ્સોએ રૂપિયા 63 લાખની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
જામનગર નજીકના રિલાયન્સ મોલ સાથે છેતરપિંડી
છ શખ્સોએ રૂપિયા 63 લાખ છેતરપિંડી આદરી
આરોપીઓ સુધી પહોંચવા મેઘપર પોલીસ દ્વાર તપાસનો ધમધમાટ
જામનગર-ખંભાળિયા હાઈવે પર આવેલા રિલાયન્સ મોલ સાથે છેતરપિંડી આચરી છ શખ્સોએ રૂપિયા 63 લાખનું કરી નાખ્યાની ઘટના સામે આવી છે. જેમાં હલકી ગુણવત્તા વાળો સામાન પધરાવી દઈ રૂપિયા 35 લાખની તેમજ રૂપિયા 26 લાખનો ઓછો માલ મોકલી કુલ 63 લાખની છેતરપિંડી આચરવામાં આવી છે. આ અંગે પોલીસ ફરિયાદ બાદ પોલીસે તપાસ હાથ ધરી છે.
જામનગર, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના શખ્સો સામે નોંધાઈ ફરિયાદ
જામનગર-ખંભાળિયા હાઈવે પર ખાવડી ગામ નજીક આવેલા રિલાયન્સ મોલમાં નોકરી કરતા જોનસિંગ ભગવાનજી ચાવડાએ આ પ્રકરણ સંદર્ભે મેઘપર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જે અનુસાર મોલમાં લઈ આવવામાં આવતા સામાનમાં ઓછો માલ મોકલી તેમજ અમેરિકન શક્કરિયા ગુણવત્તા હલકી પધરાવી દઈ છ આરોપીઓએ વર્ષ 2021 થી 2022 ના એક વર્ષના ગાળા દરમિયાન છેતરપિંડી આચરી હતી. જે અંગે જામનગરના ધરાનગર 2 માં રહેતા જયપાલસિંહ ચુડાસમા, રાજસ્થાનના લલિત નવારામ ભારતી, માંગીલાલ નવારામ ભારતી, તેના રામ તેમજ ઉત્તર પ્રદેશના રામકિશોર તિવારી અને સચિન સિંહ શૈલેન્દ્રસિંહ નામના છ શખ્સોએ સામે નામજોગ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.
હલકી ગુણવત્તાવાળો માલ અને ઓછો સમાન મોકલી કરી છેતરપિંડી
છ શખ્સો સામે રૂપિયા 63 લાખની છેતરપિંડીની નોંધાયેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર હલકી ગુણવત્તા વાળો મોકલી દઈ રૂપિયા 35 લાખ તેમજ ઓછો માલ મોકલી 26 લાખ એમ કુલ 63 લાખ રૂપિયા આરોપીઓએ પોતાના અંગત ઉપયોગમાં લીધા હતા. આ ફરિયાદના આધારે મેઘપર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને આરોપીઓ સુધી પહોંચવા પોલીસે તપાસ તેજ બનાવી છે.