અમદાવાદમાં એક જ પરિવારના 6 વ્યક્તિના આપઘાતની ખબરથી અરેરાટી ફેલાઈ ગઈ છે. વટવામાં એક જ પરિવારના 6 વ્યક્તિનો આપઘાત સામે આવ્યો છે. વટવામાં પ્રયોશા રેસિડન્સીમાં બે સગા ભાઈઓએ પોતાના ચાર બાળકો સાથે આપઘાત કર્યો છે.
અમદાવાદમાં એક જ પરિવારના 6 વ્યક્તિનો આપઘાત
વટવામાં એક જ પરિવારના 6 વ્યક્તિનો આપઘાત
બે સગા ભાઈઓએ બાળકો સાથે કર્યો આપઘાત
શહેરના વટવા વિસ્તારમાં આવેલી શ્રી પ્રયોસા રેસિડન્સીમાં બે પરિવારના સભ્યોએ સામુહિક આત્મહત્યા કરી લીધી છે. બે ભાઈઓ અને તેમના ચાર બાળકો સહિત 6 લોકોના મૃતદેહ પોલીસને ઘરમાંથી મળી આવ્યા છે.
પોલીસે તપાસ શરૂ કરી
વટવા જીઆઇડીસી પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. બંને ભાઈઓએ બાળકો સાથે શા માટે આત્મહત્યા કરી તે મામલે પોલીસને હજી કોઈ માહિતી મળી નથી.
પોલીસસૂત્રોના જણાવ્યાનુસાર ગૌરાંગ પટેલ અને અમરીશ પટેલ તેમજ તેમના બાળકોના નામ મયુર, કિર્ત, ધ્રુવ અને સાનવી હોવાનું જાણવા મળ્યું છે. બંને ભાઈઓ કાપડની દુકાનમાં નોકરી કરતા હતા. ફરવા લઇ જવાનું કહી બાળકોને લઇ ઘરેથી ભાઈઓ નીકળ્યા હતા અને વિંઝોલમાં ફ્લેટ પર આવી બાળકોની હત્યા કર્યા બાદ બંનેએ આપઘાત કરી લીધો હતો. આપઘાતના કારણ અંગે આર્થિક સંકડામણ અથવા પારિવારિક કારણ હોય શકે છે.