પરિવારના સભ્યો ગુરુવારે રાત્રે મચ્છર ભગાડનાર મૉર્ટિનની કોઇલ સળગાવીને રૂમમાં સૂઈ ગયા અને સવારે તમામના મોત
રાજધાની દિલ્હીમાં ચોંકાવનારી અને ચેતવણીરૂપ ઘટના
એક જ ઘરમાંથી પરિવારના છ સભ્યોના મૃતદેહ મળ્યા
રાત્રે મચ્છર ભગાડનાર મૉર્ટિનની કોઇલ સળગાવીને રૂમમાં સૂઈ ગયા
શ્વાસ રૂંધાઈ જવાથી પરિવારના તમામ 6 લોકોના મોત
રાજધાની દિલ્હીના શાસ્ત્રી પાર્ક વિસ્તારમાંથી એક ચોંકાવનારી અને ચેતવણીરૂપ ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, દિલ્હીના શાસ્ત્રી પાર્ક વિસ્તારમાં એક જ ઘરમાંથી પરિવારના છ સભ્યોના મૃતદેહ મળી આવતા હડકંપ મચી ગયો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, તમામના મોત શ્વાસ રૂંધાવાથી થયા છે. આ તરફ હવે સ્થાનિક પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Delhi | Six people of a family were found dead in their house in the Shastri Park area after they inhaled carbon monoxide produced as a result of the overnight burning of mosquito repellant while they were sleeping: DCP North East district
દિલ્હીના શાસ્ત્રી પાર્ક વિસ્તારમાં એક પરિવારના સભ્યો ગુરુવારે રાત્રે મચ્છર ભગાડનાર કોઇલ સળગાવીને રૂમમાં સૂઈ ગયા હતા. આ તરફ રૂમ બંધ થવાને કારણે અંદર કાર્બન મોનોક્સાઈડ બની ગયું હતું. જેના કારણે પરિવારના સભ્યોના શ્વાસ રૂંધાઈ જવાથી તમામ 6 લોકોના મોત થયા હતા. દિલ્હીના ઉત્તર પૂર્વ જિલ્લાના ડીસીપીએ આ અંગે માહિતી આપી છે.