ઉત્તર પ્રદેશમાં ગુરૂવારે રાતે એક મોટી અકસ્માતની ઘટના બની હતી. કાનપુરથી બાંદા તરફ પૂરપાટ ઝડપથી આવી રહેલી રોડવેઝ બસે ટેક્સીને જોરદાર ટક્કર મારી હતી જેમાં 6 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા.
ગુરૂવાર બન્યો ગોઝારો
ઉત્તર પ્રદેશમાં રોડ અકસ્માતની ઘટનામાં 6 લોકોના મોત
આજે મધ્યપ્રદેશમાં પણ 6 લોકોના થયાં છે મોત
તો આ તરફ 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયાં હતા. આ બનાવને પગલે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી અને આસપાસના વિસ્તારમાં રહેલા લોકો તાત્કાલિક અસરથી ઘટના સ્થળે મદદ માટે આવી પહોંચ્યા હતા. જો કે, સ્થાનિક પોલીસને સમગ્ર બનાવ અંગેની જાણ થતાં જ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ઘાયલ થયેલાને તાત્કાલિક અસરથી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
Six people killed in a collision between a bus and a tempo near Jamalpur in Kotwali Dehat Police Station area in Banda. Three people are seriously injured and are undergoing treatment: Satya Narayan, IG, Banda pic.twitter.com/steWzTBFnE
ઉલ્લેખનીય છે કે, અકસ્માત સમયે 9 લોકો ટેક્સીમાં સવાર હતા. જિલ્લા હોસ્પિટલના તબીબોએ 3 ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે કાનપુર રિફર કર્યા છે. ઘાયલની હાલત નાજુક હોવાનું જણાવાયું છે.
મુખ્યમંત્રી યોગીએ દુ:ખ વ્યક્ત કર્યું હતું
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશના બાંડામાં દુ:ખખદાયક માર્ગ અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો હતો. તો આ સાથે જ સીએમ યોગીએ વરિષ્ઠ અધિકારીઓને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચવા અને પીડિતોને દરેક શક્ય રીતે મદદ કરવા સૂચના આપી હતી.
મધ્યપ્રદેશમાં પણ બન્યો રોડ અકસ્માત, 6 લોકોના મોત
મધ્યપ્રદેશના ખંડવામાં બૈતૂલ હાઇવે પ્ર ગ્રામ મેહલૂ નજીક એક જાનૈયાઓ ભરેલુ ટ્રેક્ટર-ટ્રોલી પલટી ગઇ હતી. આ દુર્ઘટનામાં વરરાજા સહિત 6 લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે. જ્યારે 20થી વધુ લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે. તમામ ઇજાગ્રસ્તોને ખંડવા જિલ્લા હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે.
40થી વધુ જાનૈયાઓને લઇ જતું ટ્રેક્ટર પુલ પરથી નીચે પડ્યું
40થી વધુ જાનૈયાઓને લઇ જઇ રહેલું ટ્રેક્ટર મેહલૂ ગામ નજીક પુલથી પસાર થતા સમયે બેકાબૂ થઇ હતું, જેનાથી ટ્રેક્ટર-ટ્રોલી અંદાજિત 15 ફૂટ નીચે પલટી હતી. જેને લઇને દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 6ના મોત થયા છે. જોકે પ્રત્યક્ષદર્શિઓના જણાવ્યા અનુસાર, હજુ પણ મૃત્યુ આંક વધી શકે છે.