બિહારના ભાગલપુર જિલ્લામાં અલગ અલગ વિસ્તારમાંથી 6 લોકોના સંદિગ્ધ પરિસ્થિતિમાં મોત થઈ ગયા છે. હાલમાં પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.
બિહારમાં દારૂનો કહેર
મોતનું તાંડવ ખેલાયું
ઝેરી દારૂ પીવાથી મોત
બિહારના ભાગલપુર જિલ્લામાં અલગ અલગ વિસ્તારમાંથી 6 લોકોના સંદિગ્ધ પરિસ્થિતિમાં મોત થઈ ગયા છે. જ્યાં મોત પહેલા તમામમાં એક જ પ્રકારના લક્ષણો દેખાતા હતા. આ તમામની વચ્ચે એક બિમાર યુવકની બહેને દાવો કર્યો હતો કે, ભાઈએ દારૂ પીધો હતો, જે બાદ સ્થાનિક પોલીસ પ્રશાસનમાં હડકંપ મચી ગયો હતો. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર શરૂઆતી તપાસમાં રવિવારે મોડી સાંજે દરોડા બાદ પ્રશાસન અને પોલીસે પણ ઝેરી દારૂ પીવાના કારણે મોત થયું હોવાની પુષ્ટિ કરી હતી. હાલમાં સમગ્ર વિસ્તારમાં લોકોમાં ડરનો માહોલ છે.
6 લોકોના મોત
હકીકતમાં ભાગલપૂરમાં સંદિગ્ધ પરિસ્થિતિઓના કારણે અલીગંજના મિથિલેશનું શુક્રવારે, લોદીપુરની નવીન યાદવ અને રાજકિશોર યાદવનું શનિવારે જ્યારે સરધોના રહેવાલી કુંદન ઝા, સઝૌરના રહેવાસી અવિનાશ અને મુંદીચકના મનીષનું મોત રવિવાર સવારે થયું હતું.
ઝેરી દારૂ પીવાથી થયા મોત
તો વળી આ ઘટનાની જાણ થતાં એડીએમ રાજેશ ઝા રાજા મેડિકલ કોલેજ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ઝેરી દારૂ પીવાની વાત પર મૌન ધારણ કરી લીધું હતું. તેમણે કહ્યું કે, મામલાની તપાસ ચાલી રહી છે. જો કે હાલમાં કંઈ પણ સ્પષ્ટ કહી શકાય નહીં. ત્યારે આવા સમયે મોડી સાંજે જિલ્લાના કલેક્ટર અને પોલીસ સ્ટેશનના પ્રભારીએ મામલાની તપાસ હાથ ધરી છે. સાથે જ પોલીસે પૂછપરછ માટે પાંચ લોકોને ઉઠાવી ગઈ હતી.