મહારાષ્ટ્ર સ્થિત ચંદ્રપુરમાં જનરેટરના ધૂમાડાથી 6 લોકોના મોત થયા છે.
જનરેટરના ધૂમાડાના કારણે શ્વાસ રુંધાવાથી મોત થયા
6 લોકોના મોત થયા
એક સભ્યની સારવાર ચાલી રહી છે
જનરેટરના ધૂમાડાના કારણે શ્વાસ રુંધાવાથી મોત થયા
મળતી જાણકારી અનુસાર જનરેટરના ધૂમાડાના કારણે શ્વાસ રુંધાવાથી મોત થયા છે. જણાવવામાં આવ્યું છે કે ઘરમાં 7 લોકો રહેતા હતા. જેમાંથી 6 લોકોના મોત થયા છે. સ્થળ પર પહોંચેલી પોલીસે મૃતદેહોને કબ્જે લઈ પોસ્ટ મોર્ટમ માટે મોકલી દીધા છે. મનાઈ રહ્યું છે કે વીજળી ગયા બાદ ડીઝલનું જનકેટર ચાલુ કરવામાં આવ્યું હતુ.
ઘરમાં સુઈ રહેલા તમામ 7 સભ્યો બેભાન થઈ ગયા હતા
એક સ્થાનીય મીડિયા રિપોર્ટ મુજબ ઘરમાં સુઈ રહેલા તમામ 7 સભ્યો બેભાન થઈ ગયા હતા. તેમને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. તેમાંથી 6 લોકોને હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે એક સભ્યની સારવાર ચાલી રહી છે.
મરનારાની યાદી
મૃતકની ઓળખ અજય લશ્કર(21), રમેસ લશ્કર (45), લખન લશ્કર (10), કૃષ્ણા લશ્કર (8), પૂજા લશ્કર (14) અને માધુરી લશ્કર (20) તરીકે થઈ છે.