બિહારના કટિહારમાં એસયૂવી અને ટ્રક વચ્ચેની ટક્કરમાં 6 લોકોના મોત નીપજ્યા છે અને 3 લોકોના ઈજાગ્રસ્ત હોવાનું જાણવા મળ્યું છે.
બિહારમાં માર્ગ અકસ્માત
6 લોકોના મોત, 3 ઈજાગ્રસ્ત
એસયૂવી અને ટ્રક વચ્ચે થઈ ટક્કર
મંગળવારની સવાર અનેક અમંગળ લઈને આવી છે. આજે વહેલી સવારે બિહારના કટિહારમાં એક ભીષણ સડક અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત એસયૂવી અને ટ્રકની વચ્ચે થયો છે. આ ઘટનામાં 6 લોકોના મોત નીપજ્યા છે અને સાથે જ 3 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
बिहार: कटिहार के कुरसेला में नेशनल हाईवे-31 पर ट्रक और एसयूवी कार की टक्कर होने से छह लोगों की मौत हो गई और तीन लोग घायल हो गए।
આ અકસ્માત કુર્સેલા પોલિસ વિસ્તારના રાષ્ટ્રીય રાજમાર્ગ 31ની પાસે થયો છે. આ ઘટનામાં મૃત્યુ પામનાર તમામ 6 વ્યક્તિઓ સમસ્તીપુર જિલ્લાના રોસડાના રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ રીતે થયો અકસ્માત
આ ઘટનામાં પુલ પર ઝડપથી આવી રહેલી ટ્રક અને સ્કોર્પિયોની ટક્કર થઈ. આ બંનને વાહનો એટલી સ્પીડમાં આવી રહ્યા હતા તે તેમાં સ્કોર્પિયોમાં બેઠેલા 9 લોકોમાંથી 6ના મોત થઈ ચૂક્યા છે અને સાથે જ 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
લગ્ન માટે યુવક જોવા ગયા હતા તમામ લોકો
ગાડીમાં સવાર તમામ લોકો ફુલવરિયામાં લગ્નને માટે યુવક જોવા ગયા હતા. ઘાયલ વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. પ્રશાસને જાણકારી મળતાં જ કાર્યવાહી શકી કરી છે. દરેક ઘાયલ અને મતૃકો મહતો પરિવારના હોવાનું જાણવા મળે છે. તેમના પરિવારને પણ જાણ કરવામાં આવી છે.