કાનપુરમાં આંખના મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા હતા. ત્યારે ઓપરેશન બાદ અચાનક દર્દીઓને દેખાતું બંધ થઈ જતા સમગ્ર મામલો સીએમઓ ઓફીસે પહોચ્યો છે.
કાનપુરમાં આરોગ્ય વિભાગને બેદરકારી
DBCS યોજના હેઠળ મોતિયાનું ઓપરેશન કરવામાં આવ્યા
ઓપરેશન બાદ 6 લોકોએ આંખની દ્રષ્ટિ ગુમાવી
કાનપુરમાં આરોગ્ય વિભાગની બેદરકારી સામે આવી છે. અહીં એક નર્સિંગ હોમના આંખના કેમ્પમાં મોતિયાનું ઓપરેશન કરાવનારા 6 દર્દીઓએ આંખોની રોશની ગુમાવી હતી. તેની આંખ એટલી ખરાબ થઈ ગઈ કે તેણે જોવાનું બંધ કરી દીધું. ઘણા દિવસો સુધી હોસ્પિટલની મુલાકાત લીધા બાદ હવે દર્દીઓએ સીએમઓને ફરિયાદ કરી છે. સીએમઓએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. કારણ કે સીએમઓની પરવાનગીના આધારે ડીબીસીએસ યોજના હેઠળ આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઓપરેશન બાદ તે જ દિવસે હોસ્પિટલના લોકો ઘરે મુકી ગયા
માહિતી અનુસાર, શિવરાજપુરના રહેવાસી આ દર્દીઓએ 2 નવેમ્બરે કાનપુર દક્ષિણના આરાધ્યા નર્સિંગમાં આયોજિત ફ્રી આંખના કેમ્પમાં મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું. તેમનું ઓપરેશન ડો.નીરજ ગુપ્તાએ કર્યું હતું. ઓપરેશન બાદ હોસ્પિટલના લોકોએ તે જ દિવસે બધાને ગામમાં છોડી દીધા હતા.
દર્દીઓને આંખે દેખાતું બંધ થઈ ગયું હતુંઃદર્દીઓ
આ દર્દીઓનો આરોપ છે કે ઓપરેશન બાદ તેમની આંખોમાં દુખાવો થવા લાગ્યો હતો. એ પછી ધીમે ધીમે આંખોમાંથી પાણી વહેવા લાગ્યું. પછી તે દેખાતું બંધ થઈ ગયું. તેણે કહ્યું કે અમને દેખાતુ બંધ થઈ જવા પામ્યુ હતું. જ્યારે અમે હોસ્પિટલમાં જઈને તેની ફરિયાદ કરી તો હોસ્પિટલે અમને ટેબલેટ આપીને પરત મોકલી દીધી. હવે અમે સીએમઓને ફરિયાદ કરી છે.
DBCS યોજના હેઠળ કેમ્પ યોજવામાં આવ્યો
તમને જણાવી દઈએ કે આરાધ્ય આંખની હોસ્પિટલમાં કેમ્પ લગાવીને ગ્રામ્ય કક્ષાના લોકોની સારવાર ફ્રી માં કરવામાં આવે છે. જેનું ફંડ સરકાર તરફથી મળે છે. તેમજ સીએમઓની પરવાનગીથી DBCS યોજના હેઠળ આ કેમ્ય યોજવામાં આવ્યો હતો.
બનાવની ગંભીરતાને જોતા કમિટી બનાવવામાં આવી
ત્યારે આ બાબતે કાનપુર મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારે આલોક રંજનને ફરિયાદ મળતા તેઓએ પ્રથમ કાશીરામ હોસ્પિટલનું ચેકીંગ કરાવ્યું હતું. સમગ્ર બનાવની ગંભીરતાને જોતા તેઓએ તાત્કાલીક ધોરણે એક કમિટીની રચના કરી હતી. સીએમઓનું કહેવું છે કે શિવરાજપુરનાં 6 લોકોની આંખો ખરાબ થઈ ગઈ છે. ત્યારે દોષિતોને સખ્તમાં સખ્ત સજા કરવામાં આવશે.