ભરૂચમાં આમોદના કાંકરિયા ગામે ધર્માંતરણ મામલે પોલીસે વધુ 6 આરોપીની ધરપકડ કરી છે
ભરૂચના કાંકરિયા ગામમાં ધર્માંતરણનો મામલો
પોલીસે વધુ 6 આરોપીની કરી ધરપકડ
અત્યાર સુધી પોલીસે 10 આરોપીને ઝડપ્યા
ભરૂચ : કાંકરિયા ગામે ધર્માંતરણ મામલે પોલીસે વધુ 6 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે અત્યાર સુધીમાં 10 આરોપીને ઝડપ્યા છે. પોલીસે જંબુસરની મસ્જિદમાં લાલચ આપી નમાઝ પઢાવતા ઐયુબ નામના શખ્સની ધરપકડ કરી છે. તેમજ વડોદરાના આફમી ટ્રસ્ટમાંથી ગેરકાયદેસર પૈસા મેળવ્યાનો ખુલાસો પણ થયો છે. મહત્વનું છે કે અગાઉ પકડાયેલ અઝીઝે 14 લાખના ખર્ચે ઈબાદતગાહ બનાવ્યું હતું આ ઈબાદતગાહ સરકારી પરવાનગી વગર બનાવ્યું હોવાનું પણ ખુલ્યું છે.
પોલીસે વધુ 6 આરોપીની કરી ધરપકડ
ભરૂચમાં આમોદના કાંકરિયા ગામે ધર્માંતરણનો કિસ્સા સામે આવ્યો હતો, જેમાં 37 હિન્દુ પરિવારના 100 લોકોને ગરીબને મકાન-રાશન સહિતની લાલચ આપવામાં આવી હતી. હિન્દુ પરિવારોને ધર્મપરિવર્તન કરાવી મુસ્લિમ ધર્મ અંગીકાર કરાતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. ધર્માંતરણ કેસમાં વિદેશથી આવેલા ફંડનો ઉપયોગ કરાયો હતો. જે બાદ પોલીસે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમની કલમ અને IPCની અન્ય કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.