દેશ અને દુનિયામાં કોરોના બાદ ઓમિક્રોન વેરિએન્ટની દહેશત વર્તાઈ રહી છે ત્યારે ફરી કોરોનાએ માથું ઊંચક્યું છે.એવામાં અમદાવાદના ચાંદખેડામાં એક જ પરિવારના 6 સભ્યો કોરોના પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે,
ચાંદખેડામાં એક જ પરિવારના છ સભ્યો કોરોનાગ્રસ્ત
ચાંદખેડામાં એક પરિવારના 6 સંભ્યો કોરોના સંક્રમિત થતા મનપાનું આરોપ વિભાગ પણ હરકતમાં આવ્યું છે. આ તરફ કોરોનાને પગલે મનપા દ્વારા પહેલાથી જ ચાંદલોડિયામાં આઈસલેન્ડ સોસાયટી અને દિવ્ય જીવન સોસાયટી માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરી દેવામાં આવી છે, ત્યારે આજે માઈક્રો કન્ટેઈન્મેન્ટ જાહેર કરાયેલી સોસાયટીમાં AMCની ટીમ પહોંચી હતી અને કોરોના અંગેની સ્થિતિનો તાગ મેળવ્યો હતો.
રાજ્યમાં ઓમિક્રોનના કેસમાં પણ વધારો
ગઈ કાલે ગુજરાતમાં કોરોનાના નવા 111 કેસ નોંધાયા હતા તથા 2 કોરોના દર્દીના મોત નીપજ્યાં હતાં. કોરોના સાથે રાજ્યમાં ઓમિક્રોનના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે હાલ ઓમિક્રોન દર્દીઓની સંભ્યા 30 પર પહોંચી છે. આમ કોરોના કેસમાં વધારો થતા ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરાઈ રહી છે ત્યારે રાજ્ય સરકારે ફરી કડક નિયંત્રણો લાગુ કરવાની તૈયારીઓ આરંભી દીધી છે. છૂટછાટો ઓછી કરીને નિયંત્રણો લાદવાની તૈયારી
આ અંગે ગુરુવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં રાજ્યમાં અપાયેલી છૂટછાટો ઓછી કરીને નિયંત્રણો લાદવાનું નક્કી કરવામાં આવ્યું છે. હાલ આઠ મહાનગરોમાં રાત્રે 1થી સવારે પાંચ વાગ્યા સુધીનો ચાર કલાકનો કર્ફ્યૂ છે તેની મુદ્દત વધારીને આઠ કલાકની કરવાની વિચારણા છે. આ ઉપરાંત રાત્રિ કર્ફ્યૂ માત્ર આઠ મહાનગર પાલિકાઓ પૂરતો મર્યાદિત ન રાખીને અન્ય નગરો કે જ્યાં કોરોનાના કેસ વધુ નોંધાઇ રહ્યાં છે ત્યાં પણ કર્ફ્યૂ લાગુ કરવામાં આવશે.
નિયંત્રણો સંદર્ભે ગૃહ વિભાગ ટૂંક સમયમાં જાહેરાત કરશે
જો કે આ અંગેની સત્તાવાર જાહેરાત સરકાર હવે પછી કરશે. સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ અંગે માહિતીઓ મૂકવામાં આવી હતી. નિયંત્રણો સંદર્ભે ગૃહ વિભાગ ટૂંક સમયમાં જાહેરાત કરશે. આ ઉપરાંત મોટી સંખ્યામાં કોઇ એક વિસ્તારમાંથી કેસ આવતાં હશે તો તેને કન્ટેઇન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં પણ એક નવી નીતિ બનાવાઇ રહી છે.