અકસ્માત એ રાજ્ય અને દેશની વિકરાળ સમસ્યા બની રહી છે. ત્યારે રોજ બરોજ અનેક લોકો અકસ્માતનો ભોગ બને છે અને મહામૂલી જિંદગી ગુમાવે છે. ત્યારે આજે ગુરૂવારના રોજ ત્રણ અકસ્માતમાં છ લોકોના મોત થયા છે.
ખેડામાં અકસ્માતમાં 3ના મોત
ખેડામાં અકસ્માતમાં 3 યુવકોના મોત થયા છે. હલદરવાસ-દહેગામ રોડ ઉપર અકસ્માત થયો છે. ટ્રકની ટકકરે 3 બાઇકસવારના ઘટનાસ્થળે મોત થયા છે. આ ત્રણેય મૃતક યુવકો સુરાવત ગામના રહેવાસી છે. આ મામલે કઠલાલ પોલીસ ઘટના સ્થળે પહોચી છે.
#Kheda માં હલદરવાસ-દહેગામ રોડ ઉપર અકસ્માતમાં 3 યુવકોના મોત ટ્રકની ટકકરે 3 બાઇકસવારના ઘટનાસ્થળે મોત મૃતક ત્રણેય યુવકો સુરાવત ગામના રહેવાસી
કઠલાલ પોલીસ ઘટના સ્થળે પહોચી@GujaratPolicepic.twitter.com/dCTRkh8FhV
રાજકોટમાં અકસ્માતમાં એક વિદ્યાર્થીનું મોત
રાજકોટના આજીડેમ ચોકડી પાસે આર.કે યુનિવર્સિટીની બસની અડફેટે વિદ્યાર્થીનીનું મોત થયું છે. RK યુનિવર્સિટીમાં જ અભ્યાસ કરતી ધારા કારિયા નામની વિદ્યાર્થિનીનું બસની અડફેટે મોત થયું છે. બીજી તરફ ઘટનાના પગલે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા.
સુરેન્દ્રનગરમાં અકસ્માતમાં પતિ-પત્નીનું મોત
મુળી તાલુકાના સરા-તરણેતર રોડ પર અજાણ્યા વાહનની અડફેટે પતિ-પત્નીનું મોત નિપજ્યું હતું. બાઈક પર જઈ રહેલ દંપતીને અડફેટે લેતા બન્નેના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક નાસી છૂટ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.