લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાયો. અરવલ્લીના માલપુરમાં કાલ આશાભરા પિયરપક્ષના મામેરિયા ભરેલું ટેક્ટર પલટી ખાઈ ગયુ હતુ જેમાં 6 લોકોના ડુબી જવાથી મોત થયા છે જ્યારે 20 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ દૂર્ઘટનાને કારણે આખા પંથકમાં શોક પ્રસરી ગયો હતો.
અરવલ્લીના માલપુર પાસે અકસ્માતનો મામલો
વાત્રક નદીમાંથી તમામ 6 મૃતદેહ બહાર કઢાયા
ગાંધીનગર NDRF ટીમ દ્વારા કામગીરી
અરવલ્લીના માલપુર પાસે અકસ્માતના મામલે વાત્રક નદીમાંથી તમામ 6 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતાં. ગાંધીનગરમાં NDRF ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગઇકાલે ડમ્પરે ટ્રેક્ટરને ટક્કર મારી હતી. ટ્રેક્ટરમાંથી લોકો નદીમાં પડ્યા હતાં. મામેરાના પ્રસંગમાં જતા આ અકસ્માત સર્જાયો હતો.
શું છે ઘટના?
ગઇકાલે ડમ્પરે ટ્રેક્ટરને ટક્કર મારી હતી. ટ્રેક્ટરમાંથી લોકો નદીમાં પડ્યા હતાં. મામેરાના પ્રસંગમાં જતા આ અકસ્માત સર્જાયો હતો. અરવલ્લીના માલપુર નજીક વાત્રક નદીના પટ નજીક અકસ્માત થયો હતો.
ટ્રેક્ટર ટ્રક વચ્ચે ટક્કર
ટ્રેકટર અને ટ્રક વચ્ચે ટક્કરથી 20 વ્યક્તિઓને ઈજા પહોચી હતી. આ અકસ્માત બાદ ટ્રેક્ટરમાં સવાર 5 લોકો નદીમાં ડૂબ્યા ગયા હતી. આ ડૂબી ગયેલાની શોધખોળ ચાલુ છે. જેમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.