ભારતની વધુ એક કુશળ કુટનીતિક સફળતા જોવા મળી. ઇરાનમાં 11 મહીના પહેલા કેદ 6 ભારતીય લોકોને મુક્ત કરી દેવામાં આવ્યા છે. કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકરે ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરી તેની જાણકારી આપી.
ભારતને વધુ એક કુટનીતિક જીત મળી
ઇરાને 11 મહીના પહેલા 6 ભારતીઓને કેદ કર્યા હતા
વિદેશ મંત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરી જાણકારી આપી
આ તમામ 6 લોકો 'અબ્દુલ રઝ્ઝાક' જહાજના ક્રુ મેમ્બર્સ હતા. ઇરાને 11 મહીના પહેલા આ લોકોની ધરપકડ કરી લીધી હતી. એસ જયશંકરે આ માટે ઇરાનનો આભાર માન્યો છે.
એસ જયશંકરે કહ્યું કે, તેહરાનમાં અમારા દૂતાવાસ અને બંદર અબ્બાસમાં અમારા વાણિજ્ય દૂતાવાસના પ્રયાસોની પ્રશંસા કરીએ છીએ. વિદેશ મંત્રી એસ જયશંકરે અનુસાર જહાજ 'અબ્દુલ રજ્જાક'ના 6 ભારતીયોના ચાલક દળની 11 મહીના પહેલા ઇરાને ધરપકડ કરી હતી.
External Affairs Minister S Jaishankar: 6 Indian crew members of the ship ‘Abdul Razzak’ who were detained in Iran for 11 months have been released. Thank Iranian authorities for their assistance. Appreciate efforts of our Embassy in Tehran and our Consulate in Bandar Abbas. pic.twitter.com/PdrGmLt819