જમ્મૂ કાશ્મીરના કઠુઆમાં આઠ વર્ષની બાળકી સાથે બળાત્કાર બાદ હત્યા મામલે એક વિશેષ અદાલત સોમવારે ચૂકાદો આપ્યો છે. આ મામલે 7 માંથી 6 લોકોને દોષિત જાહેર કરાયા છે. દેશ આખાને સ્તબ્ધ કરી મુકનાર આ મામલે બંધ બારણે સુનાવણી 3 જૂને પુરી થઇ હતી.
આ મમલે જિલ્લાા અને સત્ર જસ્ટિસ તેજવિન્દર સિંહે જાહેર કર્યું હતું કે 10 જુને સુનાવણી કરવામાં આવશે. અધિકારીઓએ રવિવારે જણાવ્યુ કે કઠુઆમાં ચૂકાદો આપ્યા બાદ કોર્ટ અને તેની આસપાસ કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. એમણે કહ્યું કે પરિસ્થિતિ પર નજર રાખવામાં આવશે.
કઠુઆ કાંડના આરોપીઓ
સાત માંથી 6 આરોપી સાંજીરામ, સ્પેશિયલ ઓફિસર દીપક ખજુરિયા, સુરેન્દ્ર વર્મા, ટિલક રાજ, અને આનંદ દત્તાને દોષિત જાહેર કરાયા છે.
કઠુઆ બળાત્કાર કેસ સાથેની મહ્તવપૂર્ણ બાબતો
પંદર પેજના આરોપપત્ર અનુસાર ગત વર્ષે 10 જાન્યુઆરીએ અપહરણ કરવામાં આવેલી 8 વર્ષની બાળકીને કઠુઆ જિલ્લાના એક ગામમાં મંદિરમાં બંધક બનાવી તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું. તેના ચાર દિવસ સુધી બેહોશ રાખવામાં આવી અને બાદમાં તેની નિર્મમ હત્યા કરી નાંખવામાં આવી હતી.
આ મામલે સુનાવણી પડોસી રાજ્ય પંજાબના પઠાનકોટ જિલ્લામાં અને સત્ર કોર્ટમાં ગત વર્ષે જૂનના પહેલા સપ્તાહમાં શરૂ કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે આ મામલાને જમ્મૂ કાશ્મીરથી બહાર ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો. જે બાદ જમ્મૂથી લગભગ 100 કિલોમીટર અને કઠુઆથી 30 કિલોમીટર દૂર પઠાનકોટની કોર્ટમાં આ કેસ મોકલવામાં આવ્યો.
સુપ્રીમ કોર્ટનો આ આદેશ ત્યારે આવ્યો છે જ્યારે કઠુઆમાં વકીલોએ અપરાધ શાખાના અધિકારીઓને આ કેસ મામલે આરોપપત્ર દાખલ કરવાતી રોક્યા હતા. આ મામલે અભિયોજન દળમાં જે.કે. ચોપડા, એસ.એસ. બસરા અને હરમિન્દર સિંહ સામેલ હતા.
ક્રાઈમ બ્રાન્ચે આ મામલે ગ્રામ પ્રધાન સાંદી રામ, તેમના પુત્ર વિશાલ, ભત્રીજા અને તેમના મિત્ર આનંદ દત્તાની ધરપકડ કરી હતી.
આ મામલે બે વિશેષ પોલીસ અધિકારીઓ દીપર ખજુરિયા અને સુરેન્દ્ર વર્માની પણ ધરપકડ કરવામાં આવી છે.
સાંજી રામ પાસેથી કથિત રીતે ચાર લાખ રૂપિયા લેવા અને મહત્વપૂર્ણ પુરાવાનો નાશ કરવા મામલે હેડ કોન્સ્ટેબલ તિલક રાજ અને એસઆઇ આંનદ દત્તાની ધરપકડ કરવામાં આવી.