ગુજરાતમાં ઉત્તરાયણની હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી. જ્યારે અનેક સ્થળો પર રાજ્યમાં ઉત્તરાયણનો તહેવાર માતમનો તહેવાર સાબિત થયો. રાજ્યમાં ઉત્તરાયણના દિવસે દોરીના કારણે બે બાળકો સહિત 6 લોકોના મોત નિપજ્યાં છે. ઉત્તરાયણના દિવસે રાજ્યમાં 48 જેટલા લોકો ધાબા પરથી નીચે પટકાયા હતા. જ્યારે રાજ્યમાં કુલ અકસ્માતમાં ઇજા થવાના કુલ 784 કેસ નોંધાયા. રાજ્યમાં અકસ્માતના સૌથી વધુ અમદાવાદમાં 55 કેસ નોંધાયા.
મહેસાણામાં પતંગની દોરીએ એક આઠ વર્ષના બાળકનો જીવ લીધો હતો. બાળકને ગળાના ભાગે દોરી વાગતા તેનું મોત નિપજ્યુ હતુ. જ્યારે ભાવનગરમાં એક પાંચ વર્ષીય બાળકીનું પતંગની દોરી વાગતા મોત નિપજ્યું હતું.
રાજ્યમાં ઉત્તરાયણની ઉજવણી બે દિવસ કરવામાં આવે છે. જેમાં 14 જાન્યુઆરીના રોજ ખૂબ જ મહત્વ હોય છે. રાજ્યમાં પતંગની દોરીથી અકસ્માત બનાવાની ઘટનાઓ સામે આવતી હોય છે.
જેમાં અરવલ્લીમાં નિવૃત PSIના ગળાના ભાગે દોરી ઘસાઈ હતી અને ગળાના ભાગે તેમને ગંભીર ઈજા પહોંચી હતી. આમ ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા.