મધ્યપ્રદેશના રાયસેનમાં રાતે દોઢ વાગ્યે એક દુર્ઘટના બની. જેમાં સ્પીડમાં ભોપાલથી છતરપુર જતી બસ રાયસેન પાસેની એક દરગાહ પાસે રીછન નદી પાસેનો પુલ તોડીને નદીમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 37 લોકો ઘાયલ થયા છે અને 6 લોકોના મોત નીપજ્યા છે.
ભોપાલથી છતરપુર જતી બસ નદીમાં ખાબકી
રીછન નદીના પુલ પાસે નદીમાં પડી બસ
સ્પીડમાં જતી બસે 6 લોકોનો લીધો જીવ, 37 ઘાયલ
સ્થાનિકોએ કરી ઘાયલોની મદદ, પોલીસ પણ પહોંચી
પોલીસના જણાવ્યા અનુસાર છતરપુર જઈ રહેલી બસ પુલ પર પહોંચતા પહેલાં અનિયંત્રિત થઈને નદીમાં પડી. રાત હોવાના કારણે બસમાં બેઠેલા યાત્રીઓ ઊંઘમાં હતા. બસના પડતાંની સાથે જ બૂમાબૂમ થઈ હતી જેના કારણે સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ પોલીસને સૂચના આપી અને ત્યારબાદ પોલીસ એનડીઆરએફની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચીને બચાવના કામમાં લાગી હતી.
Madhya Pradesh: 6 people killed, 19 injured after a bus fell into a river in Raisen, last night; injured being treated at a local hospital pic.twitter.com/51qB8le8hY
પોલીસે નદીમાંથી મૃતકોને બગાર કાઢ્યા અને સાથે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ મોકલ્યા હતા. કેટલાક ઘાયલોની હાલત ગંભીર પણ જણાઈ રહી છે. સાથે પોલીસે જાણકારી આપી છે કે મૃતકોની હાલ સુધી ઓળખ થઇ શકી નથી.
ખાડાના કારણે બગડ્યું બસનું સંતુલન
ઉલ્લેખનીય છે કે પુલ પાસે ખાડો છે. જેમાં સ્પીડમાં આવી રહેલી બસના ટાયર આવવાથી બસનું સંતુલન ખોરવાયું અને પુલની રેલિંગ તોડીને બસ નદીમાં ખાબકી. કેટલાક યાત્રીઓના પાણીમાં વહી જવાની માહિતી પણ મળી રહી છે.