ધુમ્મસના કારણે વિઝિબિલિટી ખૂબ જ ઓછી હોવાને લઈ બસ અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માતમાં 6 ના મોત થતાં પંથકમાં શોકનો માહોલ
લખનૌ-બહરાઇચ હાઇવે પર એક મોટા માર્ગ અકસ્માતની ઘટના
બસ અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત સર્જાતા 6 વ્યક્તિના મોત
15 મુસાફરો ઘાયલ થયા જેમાંથી ચારની હાલત ગંભીર
આજે વહેલી સવારે લખનૌ-બહરાઇચ હાઇવે પર એક મોટા માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ રોડવેઝની બસને બાજુમાંથી આવતી ટ્રકે ટક્કર મારી હતી. જોકે ટક્કર એટલી ગંભીર હતી કે 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 15 મુસાફરો ઘાયલ થયા હતા, જેમાંથી ચારની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગંભીર રીતે ઘાયલોને લખનઉ ટ્રોમા સેન્ટરમાં રિફર કરવામાં આવ્યા છે.
લખનૌ-બહરાઇચ હાઇવે પર આ અકસ્માત સવારે 4.30 વાગ્યે થયો હતો, જ્યારે ધુમ્મસને કારણે એક ઝડપી ટ્રક લખનૌ ઇદગાહ ડેપોના રોડવેઝ સાથે અથડાઈ હતી. આ અકસ્માત જરવાલ પોલીસ સ્ટેશન વિસ્તારના ઘરઘરા ઘાટ પાસે થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે, ધુમ્મસના કારણે વિઝિબિલિટી ખૂબ જ ઓછી હતી, જેના કારણે આ દુર્ઘટના બની હતી. દુર્ઘટનાની જાણ થતાં સીઓ અને એસડીએમ કૈસરગંજ ઘટનાસ્થળે પહોંચ્યા અને રાહત બચાવ કામગીરી શરૂ કરી. અકસ્માતગ્રસ્ત બસ લખનૌથી બહરાઈચ જઈ રહી હતી.
Bahraich, Uttar Pradesh | Six people died and 15 injured in a collision between a Roadways bus and a truck in Tappe Sipah, Bahraich, confirms SHO Rajesh Singh. The injured have been sent to a hospital. The cause of the accident is yet to be ascertained. Police present at the spot pic.twitter.com/A5MPOomd05
આ તરફ અકસ્માત બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રકની શોધખોળ કરી રહી છે. પોલીસ ટ્રકની ઓળખ કરવા માટે નજીકના ઢાબા પર લગાવેલા સીસીટીવી કેમેરાને પણ સ્કેન કરી રહી છે. ડીએમ ડો. દિનેશ ચંદ્રાએ જણાવ્યું હતું કે, પ્રથમ દૃષ્ટિએ અકસ્માત ટ્રક રોંગ સાઇડથી આવી જવાને કારણે થયો હતો. આ કેસમાં ટ્રકની શોધખોળ ચાલુ છે.
સીએમ યોગીએ વ્યક્ત કર્યું દુઃખ
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બહરાઈચ રોડ અકસ્માતમાં જાનહાનિ પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે ડીએમ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓને અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને યોગ્ય સારવાર આપવાનો નિર્દેશ આપ્યો હતો અને તેઓ ઝડપથી સ્વસ્થ થઈ જાય તેવી શુભેચ્છા પણ પાઠવી હતી.