અમદાવાદ શહેરમાં ગેરકાયદે આવેલા 6 બાંગ્લાદેશી નાગરીકને એસ.ઓ.જી ક્રાઇમએ ઝડપી પાડ્યા. શહેરમાં ગેરકાયદે પ્રવેશી બાંગ્લાદેશી નાગરિકતાના ખોટા પુરાવા ઉભા કરીને વસાવટ કરતા હતા
નરોડાથી બાંગ્લાદેશીઓ ઝડપાયા
એક વર્ષથી ગેરકાયદે રહેતા હતા
મજૂરી માટે બાંગ્લાદેશથી આવ્યા હતા
અમદાવાદ શહેરમાં ગેરકાયદે આવેલા 6 બાંગ્લાદેશી નાગરીકને એસ.ઓ.જી ક્રાઇમએ ઝડપી પાડ્યા. શહેરમાં ગેરકાયદે પ્રવેશી બાંગ્લાદેશી નાગરિકતાના ખોટા પુરાવા ઉભા કરીને વસાવટ કરતા હતા. જેમાં એસ.ઓ.જીએ વર્ષ 2017થી અત્યાર સુઘી 202 થી વધુ બાંગ્લાદેશી નાગરિકોને ડિપોર્ટ કર્યા છે.
અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં રહેતા ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકો વસવાટ કરનારા સામે ક્રાઇમ એસ.ઓ.જીએ ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી છે..ક્રાઇમ એસ.ઓ.જી ટિમ બાતમી મળી હતી કે નરોડા વિસ્તારમાં એક મકાનમાં કેટલાક બાંગ્લાદેશી ભારતના વિઝા વગર બોર્ડર પાર કરીને ભારતમાં પ્રવેશ કરીને આવેલ હકિક્ત આઘારે 6 પુરૂષો ઝડપ્યા છે..6 બાંગ્લાદેશી નાગરિકો મજૂરી અર્થે ગુજરાત આવ્યા હતા..જે બાંગ્લાદેશના નોઈડેલ ગામના વતની હોવાનું સામે આવ્યા છે છેલ્લા 9 મહિનાથી અમદાવાદના નરોડામાં રહેતા હતા..અને ભારતના વિઝા વગર વસવાટ કરતા પકડી પાડ્યા છે...ત્યારે 6 બાંગ્લાદેશી નાગરિકો પોતોના ખોટા પુરાવા ઉભા કરીને ગુજરાતમાં વસવાટ કરતા હતા..
વર્ષ ડિપોર્ટ કરેલ બાંગ્લાદેશી
2007થી 2011 394
2012 થી 2017 140
2018 થી 2022 148
કુલ 682
ઝડપાયેલ 6 બાંગ્લાદેશીને કાયદેસરના કાર્યવાહી હાથ ધરવામાં આવી છે..ત્યારે કઇ રીતે ક્યાં રસ્તે કોની મારફતે આવેલા છે ..તેમજ કોઇ ગુનાહિત પ્રવૃતિ સાથે સંકળાયેલ છે કે કેમ..? સાથે જ કેટલા સમયથી અહિ આવેલા છે..તે સમગ્ર પુછપરછ શરૂ કરી છે...ત્યારે દર વર્ષ ગેરકાયદેસર ભારતમાં પ્રવેશી વસવાટ કરતા બાંગ્લાદેશી અટકતા નથી..પરતુ થોડા અંશે બાંગ્લાદેશી નાગરિકોને ઘટાડો થયો છે...
વર્ષ સંખ્યા
2017 51
2018 35
2019 70
2020 17
2021 20
2012 06
કુલ 199
બાંગ્લાદેશી નાગરિક અમદાવાદ આવીને ગેરકાયેદસર વસવાટ કરયા બાદ સ્થાનિક આગેવાનો મદદથી ભારતીય નાગરિક લગાતા દસ્તાવેજ બનાવી લેતા હોય છે જેમ કે આઘાર કાર્ડ,ઇલેક્શન કાર્ડ,રેશનિકાર્ડ વગેરે જેવા દસ્તાવેજ સામાન્ય રકમ આપી બનાવી દેતા હોય છે જેથી ભારતીય હોવાનો દાવો કરી શકે...પરતુ આ દસ્તાવેજો ક્યારેક જોખમી સાબિત થઇ શકે છે આ માટે આવા દસ્તાવેજ ડુપ્લીકેટ ન બને તે અંગે યોગ્ય કાર્યવાહી થાય તે જરૂરી છે...