રસીકરણના 88 દિવસમાં સરકારને 87 કરોડથી વધારે નુકસાન થઈ ચૂક્યુ છે.
58 લાખથી વધારે ડોઝ બેકાર થઈ ગયા
મહારાષ્ટ્રમાં 5 લાખથી વધારે ડોઝ ખરાબ થયા
કેરળમાં એક પણ ડોઝ ખરાબ નથી થયો
58 લાખથી વધારે ડોઝ બેકાર થઈ ગયા
દેશમાં કોરોનાની રસીના અલગ અલગ રાજ્યોમાં 58 લાખથી વધારે ડોઝ બેકાર થઈ ગયા. કેન્દ્ર સરકારે તેનો એક ડોઝ 150 રુપિયાના લેખે ખરીદ્યો હતો. આ હિસાબથી રસીકરણના 88 દિવસમાં સરકારને 87 કરોડથી વધારે નુકસાન થઈ ચૂક્યુ છે.
મહારાષ્ટ્રમાં 5 લાખથી વધારે ડોઝ ખરાબ થયા
રાજ્યોમાં રસીકરણના તાજા સમીક્ષા રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. અત્યાર સુધીમાં 58, 36, 592 ડોઝ બર્બાદ થયા છે. જેની કિંમત લગભગ 87.55 લાખ રુપિયા છે. સૌથી વધારે અસરગ્રસ્ત મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં આપવામાં આવેલા 1.06 કરોડ ડોઝમાંથી 90 લાખનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે 5 લાખથી વધારે ડોઝ ખરાબ થઈ ગયા છે. આ કારણે લગભગ સાડા 7 કરોડ રુપિયાનું નુકસાન થયું છે.
કેટલાક રાજ્યોમાં રસી બર્બાદ થવાનો દર હજું પણ 8 ટકા
રિપોર્ટ મુજબ કેરળને બાદ કરતા એક પણ રાજ્ય એવું નથી જેના રસી ખરાબ થવાનો દર શૂન્ય હોય. ગત 35 દિવસમાં 5 વાર રાજ્યોને આ માટે કડક નિર્દેશ આપવામાં આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે કેટલાક રાજ્યોમાં રસી બર્બાદ થવાનો દર હજું પણ 8 ટકા છે જે ચિંતાજનક છે.
4 કલાક બાદ સમગ્ર વોયલ સુધી નષ્ટ કરવુ પડી રહ્યુ છે
કોવાક્સિનની સાથે કોવિશીલ્ડ રસીના ડોઝ બેકાર થઈ રહ્યા છે. અનેક કેન્દ્રોની સ્થિતિ એ છે કે 4 કલાક બાદ સમગ્ર વોયલ સુધી નષ્ટ કરવુ પડી રહ્યુ છે. જેની સીધું નુકસાન કેન્દ્રને થઈ રહ્યુ છે. હકિકતમાં કોવિશીલ્ડના એક વોયલમાં 10 લોકોના ડોઝ હોય છે. જ્યારે કોવાક્સિનના એક વોયલમાં 20 ડોઝ હોય છે. એક વાર વોયલ ખુલી જાય છે તો ચાર કલાક માટે અંદરના તમામ ડોઝ લગાવવા જરુરી છે. પરંતુ કેન્દ્ર પર જોવા મળી રહ્યુ છે કે એક એક વોયલમાં 4થી 5 ડોઝ ખરાબ થઈ રહ્યા છે.
આ રીતે લેવામાં આવ્યો હિસાબ
સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે મંગળવારે સવારે જ્યારે રસીકરણની સમીક્ષા કરવામાં આવી તો ખબર પડી કે 13 એપ્રિલથી સવારના 8 વાગ્યા સુધી દેશમાં 10, 85, 33, 085 કરોડ લોકોને રસી આપવામાં આવી ચૂકી છે. જ્યારે રાજ્યોમાં કુલ ખપત 11, 43, 69, 677 ડોઝ આપવામાં આવ્યા છે. આ આંકડાના હિસાબે અત્યાર સુધીમાં 58 લાખથી વધારે ડોઝ નષ્ટ થઈ ચૂક્યા છે.
આટલું નુકસાન
કેન્દ્ર સરકારે તેનો એક ડોઝ 150 રુપિયાના લેખે ખરીદ્યો હતો. 100 રુપિયા સર્વિસ ચાર્જ સાથે આ રસી 250 રુપિયામાં ખાનગી કેન્દ્ર પરથી વ્યક્તિ મેળવી શકે છે. આ રીતે અત્યાર સુધીમાં એટલે કે રસીકરણના 88 દિવસમાં સરકારને 87 કરોડથી વધારે નુકસાન થઈ ચૂક્યુ છે. આ સિલસિલો અહીં નહીં અટકે તો આવનારા એક - બે અઠવાડિયામાં નષ્ટ ડોઝની કિંમત 100 કરોડ રુપિયા થઈ શકે છે.