17 સપ્ટેમ્બરે પીએમ મોદી ગુજરાતના નર્મદા જિલ્લાના સરદાર સરોવર ડેમની મુલાકાત લઈ રહ્યા છે. ભારતના આ સૌથી મોટા ડેમને બનાવવાની પહેલ આઝાદી પહેલાંથી કરવામાં આવી હતી પણ તેનું કામ 2017માં પૂર્ણ કરવામાં આવ્યું. એક નજર કરો સરદાર સરોવર ડેમના ઈતિહાસ પર.
સરદાર પટેલે 1945માં સરદાર સરોવર ડેમ બનાવવાની પહેલ કરી હતી. 1961માં જવાહરલાલ નહેરુએ ખાતમૂર્હૂત કર્યું.
પર્યાવરણ અને સામાજિક કાર્યકર્કાઓના વિરોધના કારણે દશકો સુધી દશકો સુધી લટકી રહ્યો પ્રોજેક્ટ
17 સપ્ટેમ્બર 2017માં પીએમ મોદીએ ભારતના સૌથી મોટા ડેમને દેશને સમર્પિત કર્યો.
સરદાર સરોવર ડેમની ઉંચાઈ 138 મીટર છે. તેના 30 ગેટ છે, 4 રાજ્યો ગુજરાત, એમપી, મહારાષ્ટ્ર અને રાજસ્થાનને ફાયદો થશે.
પીએમ મોદી મંગળવારે ગુજરાતના નર્મદા જિલ્લાની મુલાકાતે છે. ભારતના સૌથી મોટા ડેમને બનાવવાની શરૂઆત આઝાદી પહેલાંથી થઈ હતી પણ તેને 2017માં પૂરું કરવામાં આવ્યું. 15 સપ્ટેમ્બર 2019માં આ ડેમમાં પાણીનું સ્તર સર્વોચ્ચ સ્તર પર પહોંચ્યું હતું.
સરદાર સરોવર ડેમનો ફાઈલ ફોટો
આઝાદી પહેલાં શરૂ થઈ હતી પહેલ
સરદાર સરોવર ડેમ બનાવવાની પહેલ આઝાદી પહેલાંથી કરવામાં આવી હતી. 1945માં સરદાર પટેલે તેની શરૂઆત કરી હતી. 5 એપ્રિલ 1961ના રોજ દેસના પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ તેનું ખાતમૂહૂર્ત કર્યું હતું પણ અનેક કારણોસર પ્રોજેક્ટ લટકી રહ્યો. 19979માં નર્મદા વોટર ડિસ્પુટ ટ્રાઈબ્યૂનલે ડેમની ઉંચાઈ 138.38 મીટર નક્કી કરી અને તેનું નિર્માણ શરૂ કરાયું. 1995માં સુપ્રીમ કોર્ટે લોકોના વિસ્થાપન અને પર્યાવરણની ચિંતાને લઈને ડેમનું કામ રોકાવી દીદું. 2000-2001માં તેને ફરી મંજૂરી મળી અને ઉંચાઈને ઘટાડીને 116.64 મીટરની કરવાના આદેશ આપવામાં આવ્યા. 2006માં ડેમની ઊંચાઈને વધારીને 121.92 મીટર કરવામાં આવી અને 2017માં 138.90 મીટરની મંજૂરી મળી. આ રીતે સરદાર સરોવર ડેમને પૂર્ણ કરવામાં લગભગ 56 વર્ષ લાગ્યા. 17 સપ્ટેમ્બર 2017માં પીએમ મોદીએ તેને દેશને સમર્પિત કર્યું.
દેશનો સૌથી મોટો ડેમ, ખર્ચ થયા 65 હજાર કરોડ
સરદાર સરોવર ડેમની ઉંચાઈ 138 મીટર છે. જે દેશનો સૌથી ઊંચો ડેમ છે. તેની શરૂઆત 93 કરોડના બજેટથી કરવામાં આવી હતી. પરંતુ તેને બનાવવામાં 65 કરોડ રૂપિયા ખર્ચ થયા છે. સાથે જ ડેમ માટે 86.20 લાખ ક્યુબિક મીટર કોંક્રિટનો ઉપયોગ થયો છે. ડેમમાં કુલ 30 દરવાજા છે અને દરેક દરવાજાનું વજન 450 ટન છે. ડેમનું વોટર સ્ટોરેજ કેપેસિટી 47.3 લાખ ક્યૂબિક લિટર છે.
સરદાર સરોવર ડેમનો ફાઈલ ફોટો
4 રાજ્યોને થશે ફાયદો
સરદાર સરોવર ડેમથી 4 રાજ્યો ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનને ફાયદો થશે. તેનાથી 18.45 લાખ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે. સિંચાઈની વાત કરીએ તો તેનાથી સૌથી વધુ ફાયદો ગુજરાતને થશે. અહીંના 15 જિલ્લાના 3137 ગામને 18.75 લાખ હેક્ટર જમીનની સિંચાઈ થશે. વીજળીનો સૌથી વધારે એટલે કે 57 ટકા ભાગ મધ્યપ્રદેશને મળ્યો છે, મહારાષ્ટ્રને 27 અને ગુજરાતને 16 ટકા વીજળી મળી રહી છે. રાજસ્થાનને ફક્ત પાણી મળશે.
દેશના સૌથી વિવાદિત ડેમમાંનો એક
સરદાર સરોવર ડેમ દેશનો સોથી મોટો ડેમ હોવાની સાથે સૌથી વિવાદિત ડેમ પણ છે. પર્યાવરણ અને સામાજિક કાર્યકર્તાઓએ 1980ના દશકથી તેની વિરુદ્ધ આંદોલન ચલાવ્યું હતું. આ જ કારણ રહ્યું કે સુપ્રીમ કોર્ટે 1995માં તેના નિર્માણ પર પાબંધી લગાવી હતી. સામાજિક કાર્યકર્તા મેઘા પાટકરે તેની વિરુદ્ધ નર્મદા બચાઓ આંદોલનનું નેતૃત્વ કર્યું.