કોરોના દેશમાં વૃદ્ધો પહેલાથી અન્ય કોઈ બિમારીથી પીડિત લોકોના જીવ લઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં ઓછી ઉંમરના લોકોનો કોરોના જીવ લઈ રહ્યું છે. રાજ્યમાં 56 ટકા એવા લોકોએ જીવ ગુમાવ્યો છે જેમને કોઈ બિમારી નહોંતી.
મરનારામાં 44 ટકા 30થી 59 વર્ષના લોકો હતા
કેન્દ્ર અને રાજ્ય સરકારની બેઠકમાં આઈસીએમઆર તરફથી રજુ કરવામાં આવ્યો
આ સ્થિતિમાં અનેક અઠવાડિયાથી ફેરફાર નથી થઈ રહ્યો
રાજ્યમાં જેટલા મોત થયા છે કે તેમાં લગભગ 44 ટકા 30થી 59 વર્ષના લોકો હતા. આ ખુલાશો શુક્રવારે થયેલી કેન્દ્ર અને રાજ્ય સરકારની બેઠકમાં આઈસીએમઆર તરફથી રજુ કરવામાં આવ્યો છે.
સૌથી વધારે 37 ટકા મોત લખનૌ, મેરઠ, બનારસ, કાનપુર નગર, ગોરખપુરમાં થાય છે. મેરઠ જિલ્લામાં મૃત્યુદર 2.4 ટકા છે. જેમાં અનેક અઠવાડિયાથી ફેરફાર નથી થઈ રહ્યો.
રિપોર્ટ અનુસાર ઉત્તર પ્રદેશમાં કોરોનાનો પહેલો પીક પસાર થઈ ચૂક્યો છે. હવે સ્થિતિ નિયંત્રમાં છે પરંતુ મોતને રોકવામાં જિલ્લા અને હોસ્પિટલ સ્તર પર પુનઃ સમીક્ષા કરવાની જરુર છે. રિપોર્ટ અનુસાર અમરોહા, ફતેહપુરા, મથુરા, આજમગઢ બહરાઈચ, સંભલ,રાયબલેરી, સિદ્ધાર્થનગર, અમેઠી અને કાસગંજમાં કોરોનાની દર્દી વધી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોનાનો કહેર હજું યથાવત છે. દેશમાં એક દિવસમાં વધુ 53 હજાર 935 કેસ નોંધાયા છે. વધું 655 દર્દીનાં મૃત્યુ થયા છે. જો કે સારી વાત એ છે કે નવા કેસની સામે રિકવરી રેટ વધું છે. એક દિવસમાં 66 હજાર 994 દર્દી રિકવર થયા છે. કોરોનાના સૌથી વધુ કેસ કેરળમાં માં છે 8 હજાર 511. બીજા નંબરે મહારાષ્ટ્રમાં 7 હજાર 347 કેસ નોંધાયા. કર્ણાટકમાં નવા 5 હજાર 356 કેસ, દિલ્હીમાં 4 હજાર 86 કેસ નોંધાયા, પ.બંગાળમાં 4 હજાર 143 નવા કેસ નોંધાયા છે. જ્યારે આંધ્રપ્રદેશમાં 3 હજાર 765 અને તમિલનાડુમાં 3 હજાર કેસ સામે આવ્યા છે.