બિહારમાં 'મગજના તાવ' એટલે કે ઇન્સેફ્લાઇટિસના કહેરથી સેંકડો લોકોના મોત બાદ હવે આસામમાં 'જાપાની તાવ' એટલે કે ઇન્સેફ્લાઇટિસનો કહેર શરૂ થઇ ગયો છે. પ્રાપ્ત જાણકારી અનુસાર એપ્રિલથી અત્યાર સુધીમાં 56 લોકોના મોત થઇ ચૂક્યા છે. ગત ત્રણ મહીનામાં 'જાપાની તાવ' એટલે કે ઇન્સેફ્લાઇટિસનો કહેર શરૂ થઇ ગયો છે. આસામમાં સરકારે સપ્તેમ્બરના અંત સુધીમાં સ્વાસ્થ્ય વિભાગના તમામ કર્મચારીઓની રજા કેન્સલ કરી દેવામાં આવી છે.
આપને જણાવીએ કે, આ પહેલા ગોરખપુરથી લઇને બિહારના મુઝફ્ફરપુર સુધી ઇન્સેફ્લાઇટિસ બીમારીથી સેંકડો લોકો જીવ ગૂમાવી ચૂક્યા છે. જોકે, 'જાપાની તાવ' અને મુઝફ્ફરપુરમાં કહેર વરસાવનાર 'મગજના તાવ'માં અંતર છે. 'જાપાની તાવ'ને લઇને ઘણા પ્રકારના રિસર્ચ પણ થઇ રહ્યા છે. આ બીમારીથી ગ્રસિત બાળકોને ઓક્સીજનની સખત જરૂર હોય છે.
ઇન્સેફ્લાઇટિસથી પૂર્વાચલમાં દર વર્ષે ઘણા બાળકોના મોત થઇ જાય છે. જોકે ઇન્સેફલાટિસથી બહાર આવી રહેલા સમાચાર બાદ લોકો તેને જાણવાની કોશિશ કરી રહ્યા છે. ઇન્ટરનેટ પર ઇન્સેફ્લાઇટિસ અંગે ઘણું સર્ચ કરવામાં આવી રહ્યું છે. અહીં આપે જાણકારીથી પણ તમે 'જાપાની તાવ' અંગે જાણી શકો છો.
શું છે 'જાપાની ઇન્સેફ્લાઇટિસ'
ઇન્સેફલાઇટિસ એટલે કે 'જાપાની તાવ' એક પ્રકારનો મગજનો તાવ છે જે વાઇરલ સંક્રમણને કારણે થાય છે. આ એક ખાસ પ્રકારનો વાયરસ દ્વારા થાય છે. જે બાદમાં સીધો આપણા મગજ તરફ જાય છે. અને મગજમાં એક વાર જતા જ તે આપણી સમજવાની, જોવાની, વિચારવાની અને સાંભળવાની ક્ષમતાને પ્રભાવિત કરે છે.
આ વાયરસ સ્પર્શથી નથી ફેલાતો
મોટાભાગે 1થી 14 વર્ષના બાળકો અને 65 વર્ષથી ઉપરના લોકો 'જાપાની તાવ'થી ગ્રસિત થાય છે. તેનો પ્રકોર ત્રણ મહીના ઓગસ્ટ, સપ્ટેમ્બર, અને ઓક્ટોબરમાં મહત્તમ હોય છે.
જાપાની ઇન્સેફ્લાઇટિસ લક્ષણો
આ બીમારીમાં તાવ આવવો, માથાનો દુખાવો, ગળામાં અકડ, કમજોરી અને ઉલટી થવા લાગે છે. સમય સાથે માથાના દુખાવામાં વધારો થાય છે. અને સુસ્તી વર્તાય છે. ભૂખ ઓછી લાગે છે, ખુબ જ તાવ, કેટલાક સમય બાદ ભ્રમ પેદા થવા લાગે સાથે પાગલપનના એટેક આવે છે. લકવા મારી જવા અને કોમા સુધી વ્યક્તિ પહોંચી શકે છે. બાળકોમાં ખુબ જ રડવું, ભૂખ ન લાગવી, તાવ અને ઉલટી જેવા લક્ષણો જોવા મળે છે.