જનધન યોજનાની આઠમી વર્ષગાંઠે નાણા મંત્રી નિર્મલા સીતારામણે એક મોટું નિવેદન આપતા એવું કહ્યું કે આજે 56 ટકા મહિલાઓની પાસે જનધન ખાતા છે.
આજે જનધન યોજનાને 8 વર્ષ પૂરા થયા
નાણામંત્રી સીતારામણે આપ્યું મોટું નિવેદન
56 ટકા મહિલાઓની પાસે જનધન ખાતા
જનધન ખાતા દ્વારા મહિલાઓને સીધો મળી રહ્યો છે સરકારી યોજનાનો લાભ
28 ઓગસ્ટ 2014ના દિવસે પીએમ મોદી દ્વારા શરુ કરવામાં આવેલી જનધન યોજના ખૂબ સફળ રહી છે. આજે જનધન યોજનાની આઠમી વર્ષગાંઠે છે આ તબક્કે નાણા મંત્રી નિર્મલા સીતારામણનું નિવેદન સામે આવ્યું છે. સીતારામણે કહ્યું કે આજે દેશમાં 56 ટકા મહિલાઓની પાસે જનધન ખાતા છે અને સરકારી યોજનાનો સીધો લાભ જનધન ખાતામાં પહોંચી રહ્યો છે.
જનધન હેઠળ 46 કરોડથી વધુ બેંક ખાતા ખોલાયા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પહેલ પર પીએમજેડીવાયની શરૂઆત 28 ઓગસ્ટ, 2014ના રોજ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ 1.74 લાખ કરોડ રૂપિયાની જમા રકમ સાથે 46 કરોડથી વધુ બેંક ખાતા ખોલવામાં આવ્યા છે. સીતારમણે કહ્યું કે આ યોજનાની મદદથી દેશની 67 ટકા ગ્રામીણ વસ્તી હવે બેંકિંગ સેવાઓ સુધી પહોંચી ગઈ છે. આ સિવાય હવે 56 ટકા મહિલાઓ પાસે જનધન ખાતા પણ છે.
“56% Jan-Dhan account holders are women and 67% Jan Dhan accounts in rural and semi-urban areas.”
Pradhan Mantri Jan Dhan Yojana (PMJDY) - National Mission for Financial Inclusion, completes eight years of successful implementation https://t.co/9hmajWEKmG
જનધન યોજના નાણાકીય સમાવેશની દિશામાં મોટું પગલું
સીતારમણે જનધન યોજનાને નાણાકીય સમાવેશની દિશામાં મોટું પગલું ગણાવતા કહ્યું કે નાણાકીય સમાવેશ એ સમાવિષ્ટ વૃદ્ધિ તરફનું એક મોટું પગલું છે જે સમાજના તમામ વંચિત વર્ગોના એકંદર આર્થિક વિકાસને સુનિશ્ચિત કરી શકે છે. પ્રધાનમંત્રી જનધન યોજના (પીએમજેડીવાય)ના આઠ વર્ષ પૂરા થવાના અવસર પર જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં નાણામંત્રી સીતારમણે કહ્યું કે બેંકિંગ સેવાઓના કાર્યક્ષેત્રની બહાર રહેલા લોકોને નાણાકીય વ્યવસ્થાનો હિસ્સો બનાવીને નાણાકીય સમાવેશની દિશામાં પગલા લેવામાં આવ્યા છે.
જનધન યોજના ભારતમાં નહીં વિશ્વમાં દૂરગામી પહેલ-નાણા રાજ્યમંત્રી
સીતારમણે કહ્યું કે નાણાકીય સમાવેશ માટે બનાવવામાં આવેલી જન ધન પ્રણાલી મહામારી દરમિયાન જરૂરિયાતમંદ લોકોને તાત્કાલિક મદદ પૂરી પાડવામાં ખૂબ અસરકારક સાબિત થઈ. આ પ્રસંગે નાણાં રાજ્યમંત્રી ભાગવત કરાડે જણાવ્યું હતું કે જનધન યોજના માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં નાણાકીય સર્વસમાવેશકતાની દિશામાં એક દૂરગામી પહેલ છે. તેમણે કહ્યું હતું કે, આ કારણે ગરીબ અને વંચિત લોકોને હવે શાહુકારોની ચુંગાલમાં ફસાવું પડતું નથી.