તુર્કીએ જે ઘઉંને ખરાબ ક્વોલિટીના ગણીને લેવાની ના પાડી હતી, તે જ ઘઉં હવે ઈજિપ્તે કોઈ પણ પ્રકારની આનાકાની કર્યા વગર ખરીદી લીધા, સાથે જ ભારતીય ઘઉંના વખાણ પણ કર્યા છે.
ભારતને મોટી રાહત
તુર્કીએ જે ઘઉં લેવાની ના પાડી તેને ઈજિપ્તે ખરીદી લીધા
ખરાબ ક્વોલિટી ગણીને ના પાડી દીધી હતી
તુર્કીએ ભારત પાસેથી એવું કહીને ઘઉં લેવાની ના પાડી હતી કે, ભારતીય ઘઉંની ક્વોલિટી ખરાબ છે, પણ તુર્કીના ખલીદા અર્દૌબાનની ડબલ ગેમનો ખુલાસો ત્યારે થયો, જ્યારે આ જ ઘઉં ઈજિપ્તે તમામ ક્વોલિટી ચેક કર્યા બાદ સ્વિકારી તો લીધા, પણ સાથે સાથે ઉત્તર ક્વોલિટીના ઘઉં પણ ગણાવ્યા છે.
55 હજાર ટન ઘઉં ખરીદ્યા
એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, 55,000 ટન ભારતીય ઘઉંનો પહેલો જથ્થો ઈજિપ્ત પહોંચી ગયો છે અને તમામ ગુણવત્તા ટેસ્ટમાં પાસ થઈ ગયા છે. આપને જણાવી દઈએ કે, ઈજિપ્તે ક્વાલિટી કંટ્રોલની રીત દુનિયા સૌથી વધારે કડક છે. ખરાબ ક્વાલિટીની વાત કહીને જે ઘઉં તુર્કીએ લેવાની ના પાડી હતી, તેને ઈજિપ્તે સ્વિકાર કરી લીધો છે. તુર્કીએ ભારત સાથે ડબલ ગેમ રમવાની કોશિશ કરી હતી, જેથી દુનિયાભરમાં ભારતીય ઘઉંની વેલ્યૂ ઘટી જાય. પણ એવું થઈ શક્યુ નહીં, તુર્કીના રાષ્ટ્રપતિ દુનિયાભરમાં ખુલ્લા પડી ગયા છે.
ભારતને મોટી કામયાબી
તુર્કી દ્વારા ઘઉંનો જથ્થો પાછો મોકલવાથી ભારતને મોટો ઝટકો લાગ્યો હતો. પણ ઈજિપ્તે ક્વાલિટી ટેસ્ટમાં પાસ કરીને ભારતીય ઘઉંને ખરીદી લીધા છે. જેથી ભારતને પણ રાહત થઈ છે. તો વળી આ જથ્થાને નિકાસ કરાનારા ગ્રુપના સીઈઓ નીલ સાહનીએ કહ્યું કે, જો આપ મિસ્ત્રમાં ગુણવત્તા ટેસ્ટ પાસ કરી શકો છો, તો દુનિયાના કોઈ પણ દેશમાં આ ઘઉં પાસ કરી શકશો. આપને જણાવી દઈએ કે, એપ્રિલમાં ઈજિપ્તે ઘઉંની આયાત માટે ભારતના પોર્ટને મંજૂરી આપી દીધી હતી. અને જ્યારે ભારતે 13 મેના રોજ ઘઉંની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો હતો, તે સમયે જહાજને લોડ કરવામાં આવી રહ્યું હતું.