નર્મદા નદી પર 55 વર્ષ પહેલા બનેલ ગોરા બ્રીજ હવે ઇતિહાસ બની જશે કેમકે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા પ્રવાસીઓ ને જળમાર્ગ ની ફેરી માટે નર્મદા નદીમાં ક્રુઝ બોટ ફેરવવા બ્રીજ તોડવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. છેલ્લા 55 વર્ષથી ગાંડીતુર નર્મદા માં ધસમસતા પાણી ના પ્રવાહ માં ડૂબી જતા આ ડૂબાડૂબ બ્રીજ નર્મદા નદીની સપાટી ના અંદાજ માટે પણ કામ આવતો હવે એ નામશેષ થવા જઈ રહ્યો છે.
ગોરા બ્રિજ બનશે ઈતિહાસ
55 વર્ષ જૂનો બ્રિજ થશે ધરાશાયી
અનેક તડકા-છાયા જોનારો બ્રિજ
5 એપ્રિલ 1961માં સરદાર સરોવર નર્મદા બંધનું ખાત મુહર્ત બાદ કામચાલું થયું. ત્યારે બીજી બાજુથી માલ સમાન લઇ જવા લાવવા નર્મદા નદી ઓળંગવાનો પ્રશ્ન ઉભો થયો હતો. જેથી નર્મદા નિગમ દ્વારા 1963-64 માં ગોરા થી વાગડીયા ગામ વચ્ચે 800 મીટર લાંબો 23 મીટર ઉંચો બ્રિજ બનાવવામાં આવ્યો હતો. જેના પરથી માલસામાનના વાહનો વાહન કરતા હતા બાદમાં ગામડાઓ વિકસ્યા અને આ વિસ્તારનો અવરજવાનો મુખ્ય બ્રીજ બની ગયો, સાથે સાથે આ બ્રીજ નર્મદામાં આવતા પૂર માટે સપાટી દર્શવાતો બ્રીજ પણ બની ગયો.
સ્થાનિકોમાં દુ:ખની લાગણી
દર વર્ષે 5 મીટર ઉપરથી પાણી જતું હતું. એની મજબૂતાઈ એવી હતી કે 55થી નર્મદા નદીના પાણીમાં ડૂબ્યો પણ કાંકરો હાલ્યો નથી છતાં તેની નીચાઈને કારણે આજે તેને તોડવાનો વારો આવ્યો છે. જે આગામી દિવસોમાં નામશેષ થઇ જશે. સ્થાનિકો આ બ્રીજ પરથી પોતાની જિંદગી પસાર કરી જેઓ પણ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે.
55 વર્ષ જુના બ્રિજને તોડવાની કામગીરી શરૂ
વર્ષ 1963-64 માં બનેલ ગોરા બ્રીજ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે આ 55 વર્ષ જૂનો બ્રીજ તોડી નખાતા હવે આ બ્રીજ એક ઇતિહાસ બની જશે, ગોરા થી વાગડીયા ગામ વચ્ચે આવેલ ગોરા બ્રીજ દરવર્ષે ચોમાસામાં ડૂબી જતો એટલે ડૂબાડૂબ પુલ તરીકે પણ ઓળખાતો હતો. જે 800 મીટર લાંબો હોય હાલ પ્રાથમિક ધોરણે બે કિનારાની બને બાજુ છોડી વચ્ચે જે ક્રુઝ બોટ નો રસ્તો બનાવવા માં આવ્યો છે એટલો 72 મીટર જેટલો બ્રીજ નો ભાગ વચ્ચે થી તોડવામાં આવશે, બાદમાં આખો બ્રીજ તોડી જમીન દોસ્ત કરવામાં આવશે। આ ગોરા ડૂબાડૂબ બ્રીજ નર્મદા નિગમ દ્વારા તોડવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે અને જેને આગામી 10 દિવસ માં તોડી ખુલ્લો માર્ગ બનાવવા નો છે. જે કામ યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ કરી બે મશીનો કામે લાગી ગયા છે.
આ બ્રિજ પર થી સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે દક્ષિણ વિભાગના એટલે કે મુંબઈ, સુરત, ભરૂચથી મહારાષ્ટ્ર નંદુરબાર બાજુના પ્રવાસીઓ માટે મુખ્ય માર્ગ બન્યો હતો અને મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ માર્ગનો ઉપયોગ કરતા હતા એટલું જ નહીં પ્રત્યેક પ્રવાસીઓ આ બ્રીજ પરથી દેખાતા સ્ટેચ્યુ અને નર્મદા નદીની સેલ્ફીઓ પાડી હશે હવે આ રોડ સદંતર બંધ કરી દેવામાં આવ્યો છે અને પ્રવાસીઓ ને તથા સ્થાનિકો માટે ડાયવર્ઝન ગરુડેશ્વર થઇને કરાયું છે, પ્રવાસીઓ અટવાય નહિ એટલે સુરક્ષા ગાર્ડ પણ મૂકી દેવામાં આવ્યા છે.
વૈકલ્પિક વ્યવસ્થા શરૂ થતાં પહેલા જ બ્રીજ પરની અવરજવર બંધ કરવામાં આવી
જોકે તંત્ર દ્વારા કોઈપણ વૈકલ્પિક વ્યવસ્થા શરૂ કરતા પહેલા બ્રીજ પરની અવર જવર બંધ કરી દેતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે અને હાલ બોર્ડની પરીક્ષા ચાલતી હોય વિદ્યાર્થીઓને 15 મીટર ગરુડેશ્વર ફરીને જવાનો વારો આવ્યો છે શાળામાં ભણતા વિદ્યાર્થીઓ કોલજ કરતા વિદ્યાર્થીઓને ફેરો પડતા મુશ્કેલી પડી રહી છે જેમાં બોર્ડની પરીક્ષા ટાણે આ કામ કાઢતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. એટલું જ નહીં પ્રવાસીઓ પણ અટવાઈ રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા નવો બ્રીજ શરૂ કરી ઉદ્ઘાટન કરી ચાલુ થઇ જાય પછી આ બ્રીજ તોડ્યો હોય તો શું વાંધો હતો. કહી તંત્ર સામે રોષ ફેલાયો હતો આ રોડ રવિવારે બંધ કરી તોડવાની કામગીરી શરૂ કરી છે, જેમણે નાતો પંચાયત ને જાણ કરી ના સ્થાનિકો એકદમ બંધ કરી રોડ તોડી પડતા સ્થાનિકો પણ અટવાયા છે.
ટૂંક સમયમાં ખુલ્લો મુકાશે નવો બ્રીજ
ગોરા બ્રીજ તોડવા સામે બાજુમાં નવો બ્રીજ જે બનાવવામાં આવ્યો છે. જે 920 મીટર લાંબો અને 36 મીટર ઉંચો બનવવામાં આવ્યો છે જે એક સપ્તાહમાં ખુલ્લો કરી દેવામાં આવશે. આ બ્રીજ છેલ્લા 100 વર્ષમાં નર્મદાની સૌથી મહત્તમ સપાટીને ધ્યાનમાં રાખીને ઉંચાઈ નક્કી કરવામાં આવી છે. સૌથી વધુ 30 લાખ ક્યુસેક પાણી આવેલું છે જે માપ ને ધ્યાનમાં રાખી આ બ્રિજની ઉંચાઈ નક્કી કરવામાં આવી રાજ્યમાં સૌથી ઉંચો બ્રીજ પણ કહી શકાય જે ટૂંક સમયમાં સ્થનિક જનતા અને પ્રવાસીઓ માટે ખુલો મુકાશે ત્યારે સ્થાનિકોમાં રાહત થશે. એ વાત ચોક્કસ છે.