દેશમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. રોજના લગભગ 70000થી વધારે કેસ સામે આવી રહ્યા છે. હાલના આંકડાથી ખ્યાલ આવી રહ્યો છે કે દેશમાં કોરોના સંક્રમિતોના કુલ આંકડા 37.60 લાખને પાર પહોંચ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના કેસ અને કોરોનાથી થયેલા મોતનો આંકના વિશ્લેષણનો ગ્રાફ જાહેર કર્યો છે.
દેશમાં વધ્યો કોરોનાનો આંક, કુલ આંક 37.60 લાખને પાર
54 ટકા કેસ 18થી 44 વર્ષની ઉંમરના લોકો
મોતમાં 60 વર્ષ કે તેનાથી ઉપરના લોકોની સંખ્યા 51 ટકા
આ ગ્રાફના આધારે દેશમાં 54 ટકા કેસ 18થી 44 વર્ષના નોંધાયા છે. કોરોનાથી થયેલા મોતમાં 60 વર્ષ કે તેનાથી ઉપરના લોકોની સંખ્યા 51 ટકા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે એક ગ્રાફ ટ્વિટ કર્યો છે. આ ગ્રાફના આધારે 8 ટકા કેસ 17 વર્ષથી ઓછી ઉંમરના નોંધાયા છે. તે વર્ગમાં એક ટકા મોત થયું છે. 18થી 25 વર્ષમાં કોરોનાના 14 ટકા કેસ નોંધાયા છે. જ્યારે આ ઉંમરમાં એક ટકા લોકોના કોરોના વાયરસથી મોત થયા છે.
કોરોનાના 40 ટકા કેસમાં 26-44 વર્ષની ઉંમરમાં વ્યક્તિઓ છે. જ્યારે આ ઉંમરના 11 ટકા લોકોના મોત થયા છે. 45થી 60 વર્ષની ઉંમરમાં મૃત્યુ પામનારની સંખ્યા વધારે છે. કોરોનાના 12 ટકા કેસ 60 કે તેનાથી વધારે ઉંમરના નોંધાયા છે. આ ઉંમરમાં વાયરસથી થનારા મોતનો આંક 51 ટકા છે.