છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 53 કેસ નોંધાયા છે. તો કોરોનાને મહાત આપીને 53 દર્દી ડિસ્ચાર્જ. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 555 પર પહોચી છે.તો 5 દર્દી વેન્ટિલેટર પર
ગુજરાતમાં કોરોનાના 53 નવા કેસ
સામે 53 જેટલા દર્દીઓ થયા સાજા
સૌથી વધુ કેસ નોંધાયા વડોદરામાં
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 53 કેસ નોંધાયા છે. તો કોરોનાને મહાત આપીને 53 દર્દી ડિસ્ચાર્જ થયા છે.રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 555 પર પહોચી છે.તો 5 દર્દી વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે.ગુજરાતમાં કોરોનાથી સાજા થવાનો દર 98.71 ટકા પર પહોચ્યો છે.રાજ્યમાં બુધવારે 3.31 લાખ નાગરિકોનું થયુ રસીકરણ થયું અને અત્યાર સુધી રાજ્યમાં રસીના 8.61 કરોડથી વધુ ડોઝ અપાઈ ચુક્યા છે.
ક્યાં,કેટલા કેસ
રાજ્યમાં સૌથી વધુ 13 કેસ વડોદરામાં નોંધાયા છે તો અમદાવાદમાં 8 કેસ, રાજકોટમાં 8 કેસ, સુરતમાં 6 કેસ,નવસારીમાં 4 કચ્છમાં 3,આણંદમાં 2, જામનગરમાં 4 કેસ, ભરૂચમાં આજે કોરોનાનો એક કેસ સાથે પંચમહાલ અને વલસાડ જિલ્લામાં પણ એક-એક કેસ નોંધાયા છે.