વર્ષ 2010થી 2013 દરમિયાન છેતરપિંડી થઈ હોવાનો ઉલ્લેખ
બી નાનજી ગ્રુપના બિલ્ડર સામે સમ્રાટ નમકીનના એમડી જયશંકર વૈધે ક્રાઈમ બ્રાન્ચમાં છેતરપિંડીનો ગુનો નોંધાવ્યો છે. હાલ તેમની ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે.
ઇન્ડિયા કોલોની નામની સ્કીમના નામે પૈસા પડાવ્યા
મળતી માહિતી અનુસાર, સમ્રાટ કંપનીના એમડી જય શંકરભાઈ વૈધ (ઉં.વ 62, રહે.નરોડા)ને બી નાનજી ગ્રુપના ભીખુભાઈ પડસાલાના દીકરા સંદિપ પડસાલાએ મહારાષ્ટ્ર-ગુજરાત બોર્ડર પર વેવજી ગામમાં ઈન્ડિયા કોલોની નામથી રસિડેન્સ અને કોમર્શિયલ સ્કીમમાં 36 ફ્લેટ અને 22 દુકાનો પેટે 5.20 કરોડ રૂપિયા રોકાવ્યા હતા.
સંદીપ પડસાલા નામના વ્યક્તિ સામે છેતરપિંડીની ફરિયાદ
જોકે, સ્કીમ પૂરી થઈ ગયા પછી પણ સંદીપે ન તો ફ્લેટ આપ્યા કે ન તો પૈસા પાછા આપ્યા. જેથી જયશંકર વૈધે બી નાનજી ગ્રુપના બિલ્ડર સામે ફરિયાદ નોંધાવી છે. જેથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીની શોધખોળ શરૂ કરી છે.