કોરોના વાયરસને અટકાવવા માટે 21 દિવસ સુધી સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. જો કે, આમ થવાને કારણે અર્થવ્યવસ્થા પર ગંભીર અસરો પડી રહી છે. ભારતીય ઉદ્યોગ પરિસંઘ(CII)ના એક સર્વેક્ષણ મુજબ મોટી સંખ્યામાં લોકોની નોકરી જવાની આંશકા છે.
લોકડાઉનને કારણે અર્થતંત્ર પર પડી ગંભીર અસર
મોટાભાગના ક્ષેત્રોની નોકરીઓ ગુમાવી શકે છે લોકો
CII દ્વારા આશરે 200 જેટલા મુખ્ય અધિકારીઓ વચ્ચે કરવામાં આવેલ ઓનલાઇન સર્વે સીઆઇઆઇ સીઇઓ સ્નેપ પોલના જણાવ્યા અનુસાર, માગની અછત સર્જાતા માટા ભાગને કંપનીઓને નુકસાન થયું છે. જેના કારણે કંપનીઓમાં કામ કરવા લોકોની નોકરી સામે સવાલ ઉભા થવા લાગ્યા છે.
કંપનીની આવકમાં 10 ટકા જેટલા ઘટાડાના અણસાર
સર્વે અનુસાર, વર્તમાન ક્વાર્ટર (એપ્રિલ-જૂન) અને છેલ્લા ક્વાર્ટર (જાન્યુઆરી-માર્ચ) દરમિયાન, મોટાભાગની કંપનીઓની આવકમાં 10 ટકાથી વધુનો ઘટાડો થવાની સંભાવના છે. આ સાથે, બંને ક્વાર્ટરમાં તેમનો નફો 5 ટકાથી વધુ ઘટી શકે છે.
52 ટકા નોકરીઓમાં ઘટાડો થવાના એંધાણ
CIIનું કહેવું છે કે, સ્થાનિક કંપનીઓની આવક અને લાભ બંન્નેમાં ભારે પડતીની અસર દેશના આર્થિક વિકાસદર પર પણ જોવા મળશે. રોજગારના સ્તર પર તેની સાથે સંકળાયેલા સેક્ટર્સમાં 52 ટકા નોકરીઓમાં ઘટાડો થઇ શકે છે.
લોકડાઉન પૂર્ણ થયાં બાદ 47 ટકા કંપનીઓમાં 15 ટકા નોકરીઓ જવાની શક્યતા
સર્વેક્ષણ અનુસાર, લોકડાઉન પૂર્ણ થયાં બાદ 47 ટકા કંપનીમાં 15 ટકા નોકરીઓ જવાની સંભાવના છે. આ સાથે જ 32 ટકા કંપનીઓમાં નોકરીઓ જવાની સંભાવના 15 થી 30 ટકા રહેશે.
લોકડાઉન બાદ મોટાભાગના લોકો ઘરેથી કરી રહ્યા છે કામ
નોંધપાત્ર વાત એ છે કે 24 માર્ચથી સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે અને તેના કારણે તમામ નાની-મોટી કંપનીઓ બંધ છે. 'ઘરેથી કામ' કરવાના આ સમય દરમિયાન કેટલીક કંપનીઓ તેઓ કર્મચારીઓની મદદ લઈ રહ્યા છે. પરંતુ મોટા પાયે લોકો ઘરે બેઠા છે.