રાજ્યના વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજનને લઈને મોટો ખુલાસો થયો છે. 52 લાખ વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન ન મળ્યાનો ખુલાસો થતાં ખળભળાટ મચી ગયો હતો.
52 લાખ વિધાર્થીઓ મધ્યાહન ભોજન વિહોણા રહ્યા
મધ્યાહન ભોજન યોજના અંતર્ગત અનાજ ન મળ્યાનો થયો ખુલાસો
કુકિંગ કોસ્ટ અને અનાજ વિતરણ ન મળ્યાનો RTI થયો ખુલાસો
રાજ્યના વિદ્યાર્થીઓને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે ચાલતી મધ્યાહનભોજનમાં રાજ્યસરકારની મોટી નિષ્ફળતા સામે આવી છે. રાજ્યના વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન ન મળ્યાનો ખુલાસો થયો છે. 52 લાખ વિધાર્થીઓ મધ્યાહન ભોજન વિહોણા રહ્યા હોવાનો થુલાસો થયો છે. RTIમાં થયેલા ખુલાસા પ્રમાણે કુકિંગ કોસ્ટ અને અનાજ વિતરણ ન મ મળતા 52 લાખ વિદ્યાર્થીો ભોજનથી વંચિત રહ્યા હોવાનું સામે આવ્યું છે.
RTIમાં માહિતી માગતા આવ્યા ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. છેલ્લા 2 મહિનામા શિક્ષણ વિભાગે જથ્થો જાહેર પણ નથી કર્યો. વિધાર્થી દીઠ રોજનું 100થી 150 ગ્રામ અનાજ ફાળવણવાની જોગવાઈ છે પરંતુ સરકાર દ્વારા જથ્થો આપવામાં ન આવતા વિદ્યાર્થીઓ ભોજનથી વંચિત રહ્યા છે.