બનાસકાંઠામાં BFSના 52 જવાનોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેના કારણે અહીયા ચીંતાનો માહોલ ફેલાયો છે. જે પણ જવાનોનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે, તેઓ નાગાલેન્ડથી આવ્યા હતા.
બનાસકાંઠામાં ફરી કોરોનાની દસ્તક
BSFના 52 જવાનોનો રિપોર્ટ પોઝિટીવ
જવાનો નાગાલેન્ડથી બનાસકાંઠા આવ્યા હતા
બનાસકાંઠામાં કોરોનાને કારણે ફરી વખત ભયનો માહોલ ફેલાયેલો છે. અહીયા કોરોનાના કેસ એકાએક વધ્યા છે. જેના કારણે લોકોમાં ભયનો માહોલ છે. સાંભળીને તમને નવાઈ લાગશે કે BSFના જવાનો અહીયા કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. જેમા અત્યાર સુધીમાં કુલ 52 જેટલા જવાનો કોરોનોના ભોગ બન્યા છે.
52 જવાનો પોઝિટીવ
ગઈકાલે એવી માહિતી સામે આવી હતી કે કુલ 30 જેટલા જવાનોનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. પરંતુ હવે એવી માહિતી સામે આવી છે કે કુલ 433 જવાનોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમા 52 જેટલા જવાનોનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ માહિતી સામે આવ્યા બાદ બનાસકાંઠાના લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
આરોગ્ય તંત્ર હરકતમાં
એકસાથે 52 જવાનોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. આરોગ્ય વિભાગ દ્વારા પોઝિટીવ જવાનોને થરાદની મોર્ડન સ્કૂલમાં આઈસોલેટ કરવામાં આવ્યા છે. જ્યા તેમની સારવાર ચાલી રહી છે. જોકે બધાજ જવાનોની સ્થિતી હાલ સ્થિર છે. ઉપરાંત તેમનામાં કોઈ ગંભીર લક્ષણો જોવા નથી મળ્યા.
જવાનો નાગાલેન્ડથી બનાસકાંઠા આવ્યા હતા
ઉલ્લેખનીય છે કે કુલ 433 જેટલા જવાનોનો અત્યાર સુધીમાં ટેસ્ટ કરવામાં આવ્યો છે. જેમા કુલ 52 જવાનો પોઝિટીવ આવ્યા છે. આ બધાજ જવાનો નાગાલેન્ડથી બનાંસકાંઠા આવ્યા હતા. તેવી માહિતી સામે આવી છે. જેથી જવાનો નાગાલેન્ડમાંજ સંક્રમિત થયા હોવાનું અનુમાન લગાવામાં આવી રહ્યું છે.