કાળાનાણા વિરુદ્ધ સરકારના અભિયાનને એક મોટી સફળતા મળી છે. સીબીઆઇએ વર્ષ 2014-15માં 1,038 કરોડ રૂપિયાનું કાળુનાણુ હોંગકોંગ મોકલવાના આરોપમાં 51 એકમોને નામાકિંત કર્યા છે. અધિકારીઓએ સોમવારે આ જાણકારી આપી.
કાળાનાણા વિરુદ્ધ સરકારના અભિયાનને એક મોટી સફળતા મળી
આરોપ છે કે આ 51 એકમોને 3 સરકારી બેન્કો-બેન્ક ઓફ ઇન્ડિયા, ભારતીય સ્ટેટ બેન્ક અને પંજાબ નેશનલ બેન્કના અજાણ્યા અધિકારીઓની મિલિભગતથી 1038 કરોડ રૂપિયાનો બેહિસાબી કાળુનાણુ હોંગકોંગ મોકલ્યું.
મોટાભાગના કંપનીઓના માલિક ચેન્નઇના
આ એકમોમાંથી મોટાભાગના માલિક ચેન્નઇ નિવાસી છે. કેન્દ્રીય તપાસ બ્યૂરો (CBI)ને સૂચના મળી હતી કે 51 એકમોમાંથી 48ના ચાલૂ ખાતા 1038.34 કરોડ રૂપિયાની રાશિ બહાર મોકલવા માટે આ બેંકોની ચાર શાખાઓમાં ખોલવામાં આવ્યા હતા.
વિદેશ યાત્રા, આયાતના નામ પર પૈસા મોકલ્યા
સીબીઆઇએ આરોપ લગાવ્યો છે કે 24 ખાતાઓનો ઉપયોગ વસ્તુઓના આયાતના અગ્રિમ ચૂકવણીના રૂપે વિદેશોમાં પૈસા મોકલવા માટે કરવામાં આવ્યો છે, જેના હેઠળ 488.39 કરોડ રૂપિયાની રાશિ ડોલરમાં મોકલાઇ છે. ત્યારે 27 ખાતાઓનો ઉપયોગ ભારતીય પ્રવાસીઓની વિદેશી યાત્રાઓ માટે 549.95 કરોડ રૂપિયાની રાશિ મોકલવા માટે થયો.