લખનૌઃ પ્રાચીન કાળથી ભારતના ખેડૂતો હવામાનની જાણકારી માટે વિવિધ ઉપાય કરતા આવ્યા છે. એવી જ રીતે ઉત્તરપ્રેદશના કાનપુરના બેહટા ગામમાં આવેલા પ્રાચીન મંદિરમાં ખેડૂતો ચોમાસાનું સટીક અનુમાન લગાવે છે અને તે અનુસાર જ પોતાના ખેતરમાં વાવણી કરે છે.
કાનપુરના બેહટા ગામમાં આવેલા લગભગ 5000 વર્ષ જૂના આ પ્રાચીન જગન્નાથ મંદિરની વિશેષતા એ છે કે ચોમાસાના પંદર દિવસ પહેલાં જ મંદિરના છત પરથી પાણી ટપકવા લાગે છે. પાણીના ટપકવાના આધારે વરસાદનું અનુમાન કરવામાં આવે છે.
પાણીના ટપકા ધીમા અને ઝડપી પડે તે મુજબ વરસાદનું અનુમાન કરવામાં આવે છે. એટલું જ નહીં મંદિરના 50 કી.મી.ના વિસ્તારમાં વરસાદનો પ્રવાભ રહે છે અને તેનાથી લગભગ 35 ગામના ખેડૂતો ફાયદો ઉઠાવે છે. વિજ્ઞાનને પણ વિચારવા માટે મજબૂર કરે એમ આ મંદિરની ભવિષ્યવાણી સટીક સાબિત થાય છે.