500થી વધારે પાકિસ્તાનીઓને અજમેર આવવા માટે ભારત તરફથી વિઝા આપવામાં આવ્યા નથી. આ લોકો અજમેરની જાણીતી ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ પર જવા ઇચ્છતા હતા. પાકિસ્તાન તરફથી એની પર દુખ વ્યક્ત કરવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ભારતે કહ્યું છે કે હાલની સ્થિતિમાં વિઝા આપવામાં આવશે નહીં.
એક રિપોર્ટ્સ પ્રમાણે ભારત તરફથી હાલની સ્થિતિમાં અને સુરક્ષા ક્લિયરન્સ નહીં મળવાનું કારણ જણાવવામાં આવ્યું છે. જો કે આ પહેલા પણ આવા પ્રસંગોએ આવી યાત્રાઓ રોકી દેવામાં આવી છે.
તમને જણાવી દઇએ કે ભારત અને પાકિસ્તાન 1974માં પાકિસ્તાન ઇન્ડિયા પ્રોટોકોલ હેઠળ તીર્થયાત્રીઓને એક બીજાના દેશમાં આવવાની પરવાનગી આપે છે.
503 પાકિસ્તાની 19 થી 29 માર્ચની વચ્ચે ભારત આવવા ઇચ્છતા હતા. પાકિસ્તાને કહ્યું છે કે તીર્થયાત્રીઓ માટે અજમેર આવાવનું ખાસ મહત્વ હતું પરંતુ ભારતના નિર્ણયના કારણે એ આવી શક્યા નહીં.