હાલ એકબાજુ ઉનાળાની શરૂઆત થઇ ચુકી છે. શિયાળુ પાક પણ તેનાં અંતિમ તબક્કા છે ક્યાંક દિવેલાં તો ક્યાંક ધાસચારો તો ક્યાંક ઉનાળુ ઘઉં માટેની ખેડુતો તૈયારીઓમાં લાગ્યા છે. સાથોસાથ શિયાળુ પાક હવે તેનાં અંતિમ તબક્કામાં છે. પશુઓ માટે ધાસચારો પણ કરવાનો હોય હાલ ખેડુતોને છેલ્લા એક પાણીની તાતી જરૂરિયાત છે.
વડોદરાના ડભોઈ તાલુકાના વઢવાણા અને મંડાળા ફીડરમાં આવતાં 500 જેટલા ખેડૂતો વીજળી ન હોવાના કારણે પરેશાન છે. આ વિસ્તારના ખેડૂતો દ્વારા કુંવા તૈયાર કરવામાં આવ્યા છે. જોકે હાલ વીજકંપની દ્વારા આપવામાં 8 કલાક સુધી વીજળી આપવામાં આવતી નથી. ટેકનિકલ ખામીના કારણે ઓછા વોલ્ટેજની વીજળી આવતી હોય છે. જેના કારણે કુંવાની મોટરો પણ બળી જવાની ઘટનાઓ બનતી હોય છે. જેના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. આ મામલે ખેડૂતો દ્વારા મળીને ડભોઈમાં આવેલી ડિવિઝનની કચેરીમાં રજૂઆત કરવામાં આવી. ઘણી વખત રજૂઆત કર્યા બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેના કારણે ખેડૂતોએ ભૂખ હડતાળની ચીમકી ઉચ્ચારી છે.
હાલ એકબાજુ ઉનાળાની શરૂઆત થઇ ચુકી છે. શિયાળુ પાક પણ તેનાં અંતિમ તબક્કા છે ક્યાંક દિવેલાં તો ક્યાંક ધાસચારો તો ક્યાંક ઉનાળુ ઘઉં માટેની ખેડુતો તૈયારીઓમાં લાગ્યા છે. સાથોસાથ શિયાળુ પાક હવે તેનાં અંતિમ તબક્કામાં છે. પશુઓ માટે ધાસચારો પણ કરવાનો હોય હાલ ખેડુતોને છેલ્લા એક પાણીની તાતી જરૂરિયાત છે. ત્યારે નર્મદા નિગમ દ્વારા તો ચાલુસાલે માર્ચ માસની શરૂઆતથી જ પાણી આપવાનું બંધ કરી નાંખતાં ખેડુતો અવઢમા પડી ગયાં છે, ત્યારે બીજીબાજુ તાલુકાનાં બોરિયાદ, કુકડ, ધર્મપુરી પટ્ટી પરનાં ગામો ની વાત કરીએ હાલ તેઓ ને પણ અંતિમ પાણી ની તાતી જરૂરિયાત છે કેનાલો માંથી ચાહે વઢવાણાં સિચાઇ હોય કે નર્મદા નિગમ તેઓ દ્વારા પાણી બંધ કરી દેવામાં આવ્યુ છે.
આ વિસ્તારનાં ખેડુતો પિયતની બીજી સવલતોમાં ઠેરઠેર કુવા હોય કુવાનાં પાણી લેઇને પણ પોતાનો પાક બચાવવાની વેંતરણમાં લાગી ગયાં છે. પરંતુ હાલ વીજકંપની દ્વારા આપવામાં આવતો વીજપુરવઠો પણ સરકારનાં બણગાં મુજબ સતત 8 કલાક સુધી મળતો નથી, જ્યારે મળે છે ત્યારે કોઇ ટેકનિકલ ખામીને લઇને ક્યારેક હાઇ વાલ્ટેજ તો ક્યારે લો વોલ્ટેજ થઇ જવાથીત તેઓની કુવાની મોટરો પણ વારંવાર બળી જતાં હજારો રૂપિયાનું વધુ નુકશાન વેઠવાનો વારો આવે છે. તાજેતરમાં જ એકસાથે અનેક કુવાઓની મોટરો બળી જતાં વિફરેલાં ખેડુતોએ ગઇકાલે સવારનાં જ ડભોઇ ખાતે આવેલી ડિવિઝનની કચેરી ખાતે મોટી સંખ્યામાં ઉમટી ઉગ્ર રજુઆતો કરી હતી.
તેઓની રજુઆતો મુજબ પ્રતિવર્ષ ઉનાળાની સિઝનમાં તેઓની આ દશા થાય છે એટલું જ નહીં લેખિત રજુઆતો છતાં તંત્ર કોર કાર્યવાહી ન કરેથી ખેડુતોની મોટરો અને વીજ વાયરો વારંવાર બળી જતાં ખેડુતોને મોટું આર્થિક ભારણ એમજીવીસીએલની નિષ્કાળજીનાં કારણે ભોગવવાનો વારો આવે છે. ખેડુતોને જો હવે પુરતો વીજપ્રવાહ નહીં મળેતો આગામી સમયમાં ભુખ હડતાળની ચીમકી પણ ઉચ્ચારી હતી.