લેન્સેટ રિજનલ હેલ્થ જનરલ સાઉથ ઈસ્ટ એશિયાના રિપોર્ટ અનુસાર, 2019માં દેશમાં 500 કરોડ એન્ટિબાયોટિકનું સેવન કરવામાં આવ્યું હતું. આ દવાઓનો ઉપયોગ ઘણા પ્રકારના ઈન્ફેક્શનની સારવારમાં થાય છે.
500 કરોડ એન્ટિબાયોટિકનું સેવન
લોકોએ આડેધડ લીધી આ દવાઓ
શરીરને થતા નુકસાન જાણી ચોંકી ઉઠશો
કોરોના મહામારીની શરૂઆત દરમિયાન લોકોમાં આ રોગનો ડર એવો હતો કે દેશમાં એન્ટિબાયોટિક્સની ખરીદીમાં નોંધપાત્ર વધારો થયો હતો. આ દવાઓનો ઉપયોગ તાવ, ગળામાં દુઃખાવો, બેક્ટેરિયલ ઈન્ફેક્શન અને સ્કિન ઈન્ફેક્શનની સારવારમાં થાય છે. જો કે આ એન્ટિબાયોટિક્સને ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા દ્વારા પણ મંજૂરી આપવામાં આવી ન હતી.
પરંતુ કોવિડના ડરને કારણે લોકોએ દવાઓ ખરીદી અને તેનો ઉપયોગ પણ કર્યો. લેન્સેટ રિજનલ હેલ્થ જનરલ સાઉથ ઈસ્ટ એશિયાના રિપોર્ટ અનુસાર, 2019માં દેશમાં 500 કરોડ એન્ટિબાયોટિકનું સેવન કરવામાં આવ્યું હતું.
સૌથી વધારે થયો આ દવાનો ઉપયોગ
આ સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે સૌથી વધારે એજિથ્રોમાઈસિન દવાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે 500 મિલિગ્રામની ગોળી છે. જે એન્ટિબાયોટિક તરીકે કામ કરે છે. દેશમાં લગભગ 8 ટકા લોકોએ આ દવાનું સેવન કર્યું હતું.
ડૉક્ટરોનું કહેવું છે કે એજિથ્રોમાઈસિન દવા ઘણા પ્રકારના ઈન્ફેક્શનને નિયંત્રિત કરે છે. આ ન્યુમોનિયા, ફેફસાના ઈન્ફેક્શન અને અનેક પ્રકારની એલર્જીથી બચાવે છે. જો કે રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે લોકોએ આ દવાઓનું સેવન વિચાર્યા વિના અને આ દવાઓની આડઅસરો વિશે જાણ્યા વિના કર્યું છે.
સમજી વિચારીને કરવો જોઈએ આ દવાનો ઉપયોગ
આ રિસર્ચના હેડ ડૉક્ટર શાફીએ કહ્યું છે કે આ દવાઓનો ઉપયોગ સાવધાનીથી કરવો જોઈએ. જો કોઈ અજાણ્યા બેક્ટેરિયા શરીરમાં પ્રવેશ્યા હોય અથવા દર્દીનો જીવ જોખમમાં હોય તો જ આ ગોળીઓનું સેવન કરવું જોઈએ. આ દવાઓનો ઉપયોગ સામાન્ય બેક્ટેરિયલ ઈન્ફેક્શન માટે અથવા સામાન્ય એન્ટિબાયોટિક તરીકે થવો જોઈએ નહીં.
શાફીએ કહ્યું કે આ સંશોધન દર્શાવે છે કે આમાંથી માત્ર 45 ટકા એન્ટિબાયોટિક્સ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનના માનકોનું પાલન કરે છે. ઘણા કિસ્સામાં ડ્રગ્સ કંટ્રોલર એસોસિએશનના માનાકો પણ પૂરા થતા નથી.
આવી દવાઓના થાય છે નુકસાન
વરિષ્ઠ ફિઝિશિયન ડૉ.કવલજીત સિંહ કહે છે કે આવી દવાઓ સરળતાથી મળી રહે છે અને લોકો તેને ખરીદીને રાખે છે. ઘણી વખત એવું બને છે કે કોઈને ઈન્ફેક્શન થઈ ગયું હોય અને આ દવા લીધી હોય અને તરત જ આરામ મળે.
આવી સ્થિતિમાં જ્યારે થોડી સમસ્યા થાય છે ત્યારે લોકો આ દવાઓ લેવાનું શરૂ કરે છે. તેમને રાહત મળવા લાગે છે માટે તેઓ દવાઓની આડઅસર તરફ ધ્યાન પણ આપતા નથી. જ્યારે આવી દવાઓ નુકસાન પહોંચાડી શકે છે.
શરીર પર થઈ શકે છે ગંભીર અસર
ડૉ.સિંહના જણાવ્યા મુજબ આ દવાઓ શરીરમાં એન્ટિબાયોટિકરેજિસ્ટેન્સ પેદા કરી શકે છે. એટલે કે દવાઓના વધુ પડતા સેવનને કારણે તે પછીથી કામ કરવાનું બંધ પણ કરી શકે છે. ઓવરડોઝ લેવાથી કિડની પર અસર થઈ શકે છે.
તેની સાથે હાર્ટ ઈન્ફેક્શન અને પેટ સંબંધિત સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં લોકો કોઈપણ કારણ વિના અથવા ડૉક્ટરની સલાહ વિના આવી એન્ટિબાયોટિકનું સેવન ન કરે તે જરૂરી છે.