સરકારે ગૌશાળાઓ અને પાંજરાપોળ માટે સહાયની જાહેરાત કર્યા બાદ રકમ ન ચૂકવાતા બનાસકાંઠાના કાંકરેજમાં ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો તાત્કાલિક સહાયની માંગ કરી હતી.
કાંકરેજમાં ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો માંગ
ગૌવંશ સહિત જીવો માટે જાહેર કરેલ સહાય ત્વરિત આપવા કરી માંગ
મામલતદાર કચેરી ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો કરી રજુઆત
રાજ્ય સરકારે 2022-23ના બજેટમાં ગૌશાળાઓ અને પાંજરાપોળને સહાય આપવા અંગે જાહેરાત કરી હતી. જે તે સામે સરકારે જાહેરાત કરીને 500 કરોડ રૂપિયા ચૂકવવા અંગે નિર્ણય લીધો હતો. ત્યારબાદ લાંબો સમય વીતવા છતાં સરકારે હજુ સુધી ગૌશાળાઓ અને પાંજરાપોળને સહાય ન ચુક્વતા સંચાલકો લાલઘૂમ થયા છે. તાબડતોબ સહાય ચૂકવવાની માંગ સાથે બનાસકાંઠાના કાંકરેજમાં ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોએ આજે મામલતદાર કચેરી ખાતે દોડી જઈ રજૂઆત કરી હતી. ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોએ સૂત્રોચાર અને બેનર્સ પ્રસીદ્ધ કરી વિરોધ વ્યકત કર્યો હતો.
રાજ્ય સરકારે 2022-23ના બજેટમાં કરી છે 500 કરોડની સહાય
નોંધનિય છે કે, બનાસકાંઠા જિલ્લામાં હાલ ૧૭૦ જેટલી ગૌશાળા અને પાંજરાપોળ આવેલી છે. જેમાં રખડતા બિનવારસી , કતલખાને જતા અને બીમાર પશુઓને સાર સંભાળ રાખવામાં આવી રહી છે. જિલ્લાની મોટા ભાગની ગૌશાળાઓ અત્યાર સુધી દાનની આવક પર ચાલતી હતી. તેવામાં આવેલી કોરોના મહામારી બાદ દાનની સરવાણી ઘટી પડતાં ગૌશાળા સંચાલકો મુંઝવણમાં મુકાયા હતા આ દરમિયાન ગુજરાત સરકારે 2022-23ના બજેટમાં ગૌશાળાઓને ૫૦૦ કરોડ રૂપિયાની સહાય ચૂકવવાની જાહેરાત કરી હતી.ત્યારબાદ સહાયને લઈને દાન આવતું બંધ થયું છે અને હવે સરકાર દ્વારા પણ સહાય ન ચૂકવાતા ગૌધનના નિભવમાં મુશ્કેલી પડી રહી છે.
ગૌશાળાઓ અને પાંજરાપોળની સહાય ન મળતા સંચાલકોમાં રોષ
અત્યારે જિલ્લાની ગૌશાળાના સંચાલકો પશુઓ માટે ઘાસચારાની માંડ માંડ વ્યવસ્થા કરી રહ્યા છે. ત્યારે સરકારે બજેટમાં ગૌશાળાઓ અને પાંજરાપોળને ૫૦૦ કરોડ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. જે અંગે ગૌશાળાને તાત્કાલિક ધોરણે સહાય ચુકવવામાં આવે તેવી સંચાલકોએ માંગ માંગ કરી હતી.જો સરકાર દ્વારા આ દિશામાં પગલા લેવામાં નહી આવે તો આવનારા સમયમાં પશુધનની પરિસ્થિતિ વિકટ બનશે તેમ ગૌશાળા સંચાલકોએ જણાવ્યુ હતું.