જો તમારી પાસે હજી પણ 500 અને 1 હજારની જૂની નોટ છે તો શું તમે પણ હજી સુધી આ નોટો બેંકમાં જમા કરાવી શકશો. ફેબ્રુઆરીમાં 3 દિવસ બધી બેંકોની જૂની નોટ લાવવાના નિર્દેશ આપવામાં આવ્યાં છે? કોઈ Enquiry અને Details નહીં માંગવામાં આવશે?
500 અને 1 હજારની જૂની નોટ બેંકમાં થશે જમા
કોઈ Enquiry અને Details નહીં માંગવામાં આવે?
મોદી સરકારે 8 નવેમ્બર 2016ના રોજ જાહેર કરી હતી નોટબંધી
શું છે વાયરલ મેસેજની હકીકત?
બેંક 29 થી 31 ફેબ્રુઆરી 2022 સુધી ફક્ત જૂની નોટ બદલવાના કારણે ખુલ્લી રહેશે? 8 નવેમ્બર 2016ની તારીખ બધાને યાદ છે. કેન્દ્રની મોદી સરકારે રાત્રે 8 વાગ્યે 500 અને 1000 રૂપિયાની જૂની નોટો બંધ કરવાની જાહેરાત કરી હતી. જો કે, નોટ બદલવા માટે કેન્દ્ર સરકારે ઘણા નિયમ પણ બનાવ્યાં હતા. નોટબંધીના આ નિર્ણયથી દેશમાં અમુક દિવસો સુધી રોકડની તંગી સર્જાઈ હતી. સરકાર માટે તથ્યો અને સોશિયલ મીડિયામાં વાયરલ ભ્રામક મેસેજની તપાસ કરનારી સંસ્થા પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરોએ પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટને લઇને માહિતી શેર કરી છે. ખરેખર, સોશિયલ મીડિયાના એક મેસેજમાં 500 અને 1 હજારની જૂની નોટોને લઇને BREAKING NEWS કરીને માહિતી શેર કરવામાં આવી રહી છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ જે લોકો કોઈ કારણોસર 500 અને 1 હજારની જૂની નોટ બેન્કમાં જમા કરાવી શક્યા નથી તેઓએ હવે રિઝર્વ બેન્કમાં જવાની જરૂર નથી. 3 દિવસ બધી બેંકોને જૂની નોટ લાવવાના નિર્દેશ આપવામાં આવ્યાં છે. કોઈ Enquiry અને Details માંગવામાં આવશે નહીં. બેંક 29 થી 31 ફેબ્રુઆરી 2022 સુધી માત્ર જૂની નોટ બદલવાના કારણે ખુલ્લી રહેશે. જનહિતમાં જારી.. ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરીમાં ક્યારેય પણ 31 દિવસ આવતા નથી. હંમેશા 28 અથવા 29 દિવસ આવે છે.
પીઆઈબી ફેક્ટ ચેક ટીમે ટ્વિટ કરી કહ્યું કે આવા મેસેજ મોકલીને પોતાને શરમજનક સ્થિતિમાં ના મુકશો. એક મીમ્સની તસ્વીર શેર કરી પીઆઈબી ફેક્ટ ચેકે કહ્યું છે કે હું તમને શરમમાં મુકવા માગતો નથી. પરંતુ ઈટ ઈઝ એ જોક. આ સાથે પીઆઈબીએ એક લિન્ક (https://www.india.gov.in/calendar) પણ શેર કરી છે. જેમાં ભારત સરકારની રજાઓ વિશે માહિતી આપવામાં આવી છે.