નોર્થ ઈસ્ટના બે રાજ્યો આસામ અને મેઘાલય વચ્ચે 50 વર્ષ જૂનો સરહદી વિવાદ ઉકેલવા એક કરાર થયો છે.
આસામ અને મેઘાલય વચ્ચેનો સરહદીય વિવાદ ઉકેલાશે
બન્ને રાજ્યોના મુખ્યમંત્રીઓ વચ્ચે થયો ઐતિહાસિક કરાર
દિલ્હીમાં અમિત શાહની હાજરીમાં બન્ને રાજ્યો વચ્ચે થયું સમાધાન
આસામ અને મેઘાલય વચ્ચે 50 વર્ષ જૂનો સરહદી વિવાદ ઉકેલાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. બંને રાજ્યો વચ્ચે ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં બંને રાજ્યોના મુખ્યમંત્રીઓએ સમજૂતી પર સહમતિ દર્શાવી છે.
Assam, Meghalaya sign historic agreement to resolve 50-year-old boundary dispute
અમિત શાહની હાજરીમાં બન્ને રાજ્યોના મુખ્યમંત્રીઓ વચ્ચે થયો કરાર
મંગળવારે, આસામના મુખ્ય પ્રધાન હિમંત બિસ્વા સરમા, સાંસદ દિલીપ સેકિયા અને મેઘાલયના મુખ્યમંત્રી કોનાર્ડ સંગમાએ રાષ્ટ્રીય રાજધાનીમાં ગૃહ પ્રધાન શાહ સાથે મુલાકાત કરી હતી, જે દરમિયાન સરહદ વિવાદને હલ કરવા માટે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
Today, a 50-year-old pending boundary dispute between Assam and Meghalaya has been resolved. 6 out of 12 points of the dispute has been resolved, which comprises nearly 70% of the boundary. The remaining 6 points will be resolved at the earliest: Union Home Minister Amit Shah pic.twitter.com/c2ZUVjeh6e
બન્ને રાજ્યો વચ્ચેના કરાર બાદ અમિત શાહે કહ્યું કે આજે આસામ અને મેઘાલય વચ્ચેનો 50 વર્ષ જુનો સરહદીય વિવાદ ઉકેલાઈ ગયો છે. વિવાદના કુલ 12 પોઈન્ટમાંથી 6 પોઈન્ટ ઉકેલી દેવાયા છે જે 70 ટકા વિવાદનું મૂળ છે. બાકીના છ પોઈન્ટ પર ટૂંક સમયમાં ઉકેલ આવી જશે.
પૂર્વોત્તરના વિકાસનું પીએમ મોદીનું સપનું પુરુ થશે-શાહ
શાહે કહ્યું કે પીએમ મોદીએ જે વિકસિત પૂર્વોત્તરનું સપનું જોયું છે, તે ટૂંક સમયમાં સાકાર થશે. શાહે કહ્યું કે, અત્યાર સુધીમાં 4800થી વધુ હથિયારોને લીગલ ઓથોરિટી સમક્ષ સરેન્ડર કરી દેવામાં આવ્યા છે.
#WATCH Assam CM Himanta Biswa Sarma and Meghalaya CM Conrad K Sangma sign an agreement to resolve the 50-year-old pending boundary dispute between their states, in the presence of Union Home Minister Amit Shah in Delhi pic.twitter.com/hnP6hs8yMm
મેઘાલયના મુખ્યમંત્રી સાથે કરાર હસ્તાંક્ષર બાદ આસામના મુખ્યમંત્રી હિમંત શર્માએ કહ્યું કે અમારે માટે ઐતિહાસિક દિવસ છે. કરાર બાદ છથી સાત મહિનામાં બાકીના 6 મુદ્દાનું નિરાકરણ લાવવાનો અમારો હેતુ છે. અમે ઉત્તરપૂર્વોતરને દેશના વિકાસનું એન્જિન બનાવી દઈશું.
આસામ અને મેઘાલય વચ્ચે લોહિયાળ હિંસા થઈ ચૂકી છે
તાજેતરના સમયમાં આસામ અને મેઘાલય વચ્ચેનો વિવાદ લોહિયાળ હિંસામાં પરિણમ્યો હતો તેમાં બન્ને પક્ષે મોટી ખુવારી થઈ હતી. તાજેતરની હિંસામાં બન્ને રાજ્યોના ઓછામાં ઓછા 22 જવાનોના તથા કેટલાક લોકોના મોત થયા હતા.